ભરૂચનાં મનુબર રોડ ઉપર એસટી બસે પલ્ટી ખાતા ચાર મુસાફરો ઈજાગ્રસ્ત
BY Connect Gujarat8 Jan 2018 5:29 AM GMT
X
Connect Gujarat8 Jan 2018 5:29 AM GMT
ભરૂચનાં મનુબર રોડ ઉપર તારીખ 7મીની મોડી સાંજે એસટી બસે પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
ભરૂચનાં મનુબર રોડ ઉપર થી પસાર થતી એસટી બસે અચાનક પલ્ટી મારી રોડની સાઈડનાં ખાડામાં પડી હતી.જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ એક સમયે સર્જાયો હતો.
એસટી બસનાં સર્જાયેલા અકસ્માતને કારણે માર્ગ પર ટ્રાફિક પણ સર્જાય ગયો હતો. જોકે સમગ્ર ઘટનામાં મોટી જાનહાની ટળી હતી અને ત્રણ થી ચાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળ્યુ હતુ.
Next Story