ભરૂચમાં રાજપૂત સમાજ દ્વારા ફિલ્મ પદ્માવતીનો વિરોધ
BY Connect Gujarat5 Oct 2017 12:35 PM GMT
X
Connect Gujarat5 Oct 2017 12:35 PM GMT
ભરૂચમાં રાજપૂત સમાજ દ્વારા ફિલ્મ પદ્માવતીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી હતી.
ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી દ્વારા નિર્મિત ફિલ્મ પદ્માવતી પહેલા થી જ વિવાદોમાં ઘેરાય છે, અને હવે ફિલ્મની રિલીઝ તારીખ નજીક છે ત્યારે ફિલ્મનો વિરોધ વધુ ઉગ્ર બનતો જાય છે.
ભરૂચ રાજપૂત સમાજનાં અગ્રણી અરૂણસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે સંજય લીલા ભણસાલીએ મહારાણી પદ્માવતીનાં જીવન પર ફિલ્મ બનાવી છે,પરંતુ ફિલ્મમાં પદ્માવતીનાં ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. અને સમાજનાં સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે, તેથી રાજપૂત સમાજ ફિલ્મનો વિરોધ કરે છે, અને ફિલ્મ રિલીઝ ન કરવા માટે કલેકટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી.
Next Story