મહારાષ્ટ્રમાં બે મહિલા સહિત 16 નક્સલવાદીઓને ઠાર કર્યા
BY Connect Gujarat23 April 2018 5:06 AM GMT
X
Connect Gujarat23 April 2018 5:06 AM GMT
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પોલીસે નક્સલવાદીઓ સામે એક ઓપરેશન હાથ ધરી બે મહિલાઓ સહિત કુલ ૧૬ નક્સલવાદીઓને ઠાર કર્યા છે. ભામરાગઢ તાલુકામાં ઇતાપલ્લીનાં બોરિયા જંગલમાં કરવામાં આવેલા આ એન્કાઉન્ટરમાં નક્સલનેતા સાંઇનાથ અને સીનુ માર્યા ગયા છે. પોલીસને નક્સલવાદીઓ સામે મળેલી આ મોટી સફળતા છે. આ ઓપરેશન બે દિવસથી ચાલતું હતું,
ગઢચિરોલીના ડીઆઈજી અંકુશ શિંદેએ જણાવ્યું હતું કે અમે શનિવારે મળેલી બાતમીને આધારે કાર્યવાહી શરૂ કરી હતી અને આજે રવિવારે સવારે સવા નવ વાગ્યાના સુમારે નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી, ઘટનાસ્થળેથી પોલીસે ૧૬ શબ કબજે કર્યાં હતાં.
Next Story