Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં ફરી એક વાર સામે આવ્યો હત્યાનો બનાવ, પરપ્રાંતીય યુવકની કરાઈ હત્યા

રાજકોટમાં ફરી એક વાર સામે આવ્યો હત્યાનો બનાવ, પરપ્રાંતીય યુવકની કરાઈ હત્યા
X

રંગીલુ રાજકોટ જાણે રંકરંજીત બન્યુ હોય તેમ વધુ એક જંગલેશ્ર્વરના યુવાનની લોથ ઢળી છે. બાપુનગર સ્મશાનના ગેટ પાસે પરપ્રાંતિય યુવાનની છરીના ઘા ઝીંકેલી હાલતમાં મૃતદેશ મળી આવ્યો હતો. અન્ય સ્થળે હત્યા કરી યુવાનની લાશ ફેંકી ગયાની આશંકા સાથે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે હત્યારાઓની શોધખોળ આદરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં રહેતા ક્રિપાલ ભગીરથભાઇ વર્મા નામના ૨૭ વર્ષના પરપ્રાંતિય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ પડી હોવાની ભકિતનગર પોલીસને જાણ થતા ડીસીપી, એસઓજી પીઆઇ, ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

તપાસ કરતા મૃતકના ડાબા પગના ગોઠણના ભાગ પાછળ છરીનો ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું હોવાનું ખુલ્યું હતું મૃતક યુવાનની અન્ય સ્થળે હત્યા કરી મૃતદેશને બાપુનગરના સ્મશાનના ગેટ પાસે ફેકી ગયા હોવાની પોલીસને આંશંકા છે.પોલીસે સ્મશાનના સીસીટીવી ફુટેજના આધારે મોડી રાત્રે થયેલી પરપ્રાંતિય યુવાનની હત્યાનો ભદ ઉકેલવા તપાસનો દોર લંબાવ્યો છે. પ્રાથમિક પુછતાછમાં મૃતક ૬ ભાઇ બહેનમાં મોટો અને એકાદ વર્ષ પુર્વે જ લગ્ન થયા હોવાનું અને યુપીથી પેટયું રળવા રાજકોટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Next Story