Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં વ્યાજખોરોનો વસુલી માટેનો આતંક

રાજકોટમાં વ્યાજખોરોનો વસુલી માટેનો આતંક
X

રાજકોટમાં એક કારખાનેદાર પાસેથી વસુલી માટે વ્યાજખોરો દ્વારા તેમના ઘર પર ફાયરિંગ કરીને તેઓનું અપહરણ કરીને મારમારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

રાજકોટ શહેરના સહકાર મેઈન રોડ પર રહેતા કારખાનેદાર રાજેશ સતાણીએ મહેશ સીયાણી પાસેથી 2 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા હતા.અને વ્યાજની રકમ સહિત તેઓએ ૨.૬૮ લાખની ઉઘરાણીમાં 60000 ચુકવવાના બાકી હતા.પરંતુ કોઈક બાબતે રાજેશ સતાણી અને મહેશ સીયાણી વચ્ચે ખટરાગ સર્જાયો હતો.જેના કારણે રાજેશ સતાણીના ઘર પર ફાયરીંગ કર્યા બાદ તેઓનું અપહરણ કરી અને ઢોર મારમારવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલા ના CCTV ફૂટેજ મેળવી અને તપાસ શરુ કરવામાં આવી છે. અને આરોપીઓ ને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યુ છે કે આરોપી અને ફરિયાદી પહેલા મિત્ર હોય અને ત્યારબાદ પૈસા બાબતે તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોવાનું પોલીસ જણાવી રહી છે.

Next Story