Connect Gujarat
ગુજરાત

શાહરુખ ખાન રેલયાત્રા થકી આવશે ભરૂચ

શાહરુખ ખાન રેલયાત્રા થકી આવશે ભરૂચ
X

બોલીવુડના કિંગ ખાન શાહરુખ પોતાની આગામી ફિલ્મ રઈસ ના પ્રમોશન અર્થે દિલ્હી જવાના છે,પરંતુ આ વખતે તેઓ વાહન માર્ગે કે હવાઈ માર્ગે નહિ પંરતુ ટ્રેનમાં મુસાફરી કરશે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ શાહરુખ ખાન ના આ મુંબઈ થી દિલ્હી સુધીના ટ્રેન યાત્રા દરમિયાન તેઓની સાથે ફિલ્મ પ્રોડયુસર રિતેશ સિધવાની અને ફિલ્મના ડાયરેક્ટર રાહુલ ઢોળકિયા પણ વર્ષો બાદ ટ્રેનમાં મુસાફરી કરશે.

રઈસ ફિલ્મની આખી ટીમ આ તૈયારીઓ પાછળ લાગી ગઈ છે,અને ટ્રેન માં હજારો ની સંખ્યામાં લોકો યાત્રા કરતા હોય છે અને ટ્રેન યાત્રા દરમિયાન લોકોને મળવાનો અવસર અને ફિલ્મના પ્રમોશન માટેનો સારો વિકલ્પ હોવાનું માનવ માં આવી રહયુ છે.

ટ્રેન યાત્રા માટે શાહરુખ ખાન અને તેમની ટીમ સાંજે 5 વાગે અગસ્ત ક્રાંતિ માં સવાર થઈ ને બીજા દિવસે સવારે 10.50 કલાકે હજરાત નિઝામુદ્દીન પહોંચશે.ટ્રેન બોમ્બે સેન્ટ્રલ થી ઉપડીને અંધેરી, બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ કોટા, સવાઈ માધોપુર, અને મથુરાના રેલવે મથકો પર રોકાશે, આ દરમિયાન શાહરુખ ખાન પોતાના ફ્રેન્ડ્સ ને મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે કહેવાય છે કે શાહરુખ ખાન દિલ્હી થી ફિલ્મી કેરિયર શરુ કરવા માટે ટ્રેન મારફતે મુંબઈ આવ્યા હતા, જયારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં 25 વર્ષ પુરા કર્યા બાદ તેઓ ટ્રેન ની યાદગાર સફર કરવાના હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

Next Story