Connect Gujarat
દેશ

શ્રીરામ નવમી ની ધર્મભીની ઉજવણી માં રામ ભક્તો લીન બનશે.

શ્રીરામ નવમી ની ધર્મભીની ઉજવણી માં રામ ભક્તો લીન બનશે.
X

રામ ધૂન,રામ ભજન,મહાઆરતી,મહા પ્રસાદી સહિતના કાર્યક્રમ યોજાશે.

ચૈત્ર સુદ નોમ એટલે રામનવમી,મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામ નો જન્મોત્સવ.અને આ પાવન અવસરે સમગ્ર વાતાવરણ રામ મય બનશે.

શ્રી રામલલ્લા ના જન્મ દિવસ ને વધાવવા માટે ભક્તો માં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.ઉપરાંત રામજી મંદિર સહીત ના દેવાલયો ને સુંદર સાજ સણગાર કરવામાં આવ્યા છે.મંદિર ની રોશની થી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

રામનવમી ના પવન પ્રસંગે ભક્તો વહેલી સવારથી જ રામ ધૂન,રામ ભજન થકી પ્રભુ રામની ભક્તિ માં તરબોળ બનશે.મંદિરોમાં પણ રામજીના જન્મોત્સવ ની ઉજવણી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહીત મહા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Next Story