સરસ્વતીના સાધકો ભૂલ્યા ભાન, રાજકોટની ધોળકીયા સ્કુલના પ્રિન્સિપાલે ઉડાવ્યા પૈસા
BY Connect Gujarat28 May 2018 6:30 AM GMT
X
Connect Gujarat28 May 2018 6:30 AM GMT
એસએસસી બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયુ છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાનું પરિણામ 75.92 ટકા જાહેર થયુ છે. જેમાં એ1 ગ્રેડમા 996 વિધ્યાર્થીનો સમાવેશ થયો હતો. જ્યારે 3539 વિધ્યાર્થીઓ એ એ2 ગ્રેડ મેળવ્યો હતો.
બીજી તરફ ધાર્યુ પરિણામ મેળવતા ખાનગી શાળાના સંચાલકો જાણે છાકટા બન્યા હતા. સરસ્વતીના સાધકો ભાન ભુલ્યા હોય તેવા દ્રશ્યો આજે રાજકોટમાં સર્જાયા હતા. ખુદ ધોળકીયા સ્કુલના પ્રિન્સિપાલ જીતુ ધોળકીયાએ 100-100 રૂપિયાની નોટો બાળકો ઉપર ઉડાડી હતી. તો તેમની સાથે પૈસા ઉડાડવામા તેમના શિક્ષકો પણ જોડાયા હતા.
Next Article: માત્ર 11 વર્ષની ઉંમરે ગુમાવેલા હાથ-પગ, SSCમાં મેળવ્યા 98.53 PR
Gujarat news online, gujarat breaking news,
Next Story