સુરત વરાછા માં એમ્બ્રોઇડરી કારખાનેદાર ની હત્યા થી ચકચાર
BY Connect Gujarat30 Aug 2016 11:53 AM GMT
X
Connect Gujarat30 Aug 2016 11:53 AM GMT
સુરત વરાછાના એ.કે રોડ પટેલનગરમાં મોડીરાત્રે એમ્બ્રોઇડરી કારખાનેદારની કરપીણ હત્યાથી ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. અને સીસીટીવીના આધારે હત્યારાઓને ઝડપી પાડવાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર મોડીરાતે વરાછામાં એ.કે રોડ પટેલ નગર પાસે અશોક નામના એમ્બ્રોઇડરી કારખાનેદારની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે.એમ્બ્રોઇડરી કારખાનેદાર અશોક પર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. અશોકને ગળા અને જાંઘના ભાગે ઘા કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. બનાવને પગલે વરાછા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
હાલમાં પોલીસે હત્યાનો ભોગ બનેલા અશોકના પરિવારજનોનો સંપર્ક કરી હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં તપાસ આરંભી છે. પૈસાની લેતી દેતીમાં તથા લૂંટના ઇરાદે અશોક નામના કારખાનેદારની હત્યા કરાઇ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જો કે પોલીસ તપાસના અંતે જ હત્યાનું સચોટ કારણ બહાર આવશે. બનાવ સંદર્ભે વરાછા પોલીસ તપાસ કરી રહી છે.
Next Story