અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે ખેડૂતને મારમારી ટ્રાન્સફોર્મર ચોરીનો પ્રયાસ કરતા તસ્કરો
BY Connect Gujarat21 March 2017 11:13 AM GMT
X
Connect Gujarat21 March 2017 11:13 AM GMT
અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે મધ્યરાત્રીએ વીજ ટ્રાન્સફોર્મર ચોરી કરવા માટે આવેલા તસ્કરો ખેડૂતને મારમારી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામના ખેડૂત દિનેશભાઈ કરશનભાઈ પટેલના ઓ મધ્યરાત્રીએ ખેતરમાં પાણી છોડવા માટે ગયા હતા. તે દરમિયાન બાજુના ખેતર માંથી કઈંક અવાજ આવતા તેઓએ ટોર્ચની લાઈટ મારીને જોયુ હતુ. તો આંઠ જેટલા ઈસમો વીજ ટ્રાન્સફોર્મર ચોરીને અંજામ આપી રહ્યા હોવાનું ધ્યાને આવ્યુ હતુ.
ખેડૂત દિનેશ પટેલે તસ્કરોને પડકાર ફેંકતા તેઓએ ખેડૂત ને પકડીને મારમાર્યો હતો,અને ફરાર થઇ ગયા હતા.
ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. અને સ્થળ પરથી હેકસો બ્લેડ, સહિતના ટ્રાન્સફોર્મર તોડવાના અન્ય સાધનો જપ્ત કરીને ચોર ટોળકીને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
Next Story