કરાંચી થી મુંબઈ આવતી ફલાઇટ પાકિસ્તાને રદ કરી
BY Connect Gujarat8 May 2017 5:17 AM GMT
X
Connect Gujarat8 May 2017 5:17 AM GMT
ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ સીમા પર ચાલી રહેલી ગતિવિધિઓને કારણે આવેલી કડવાહટને પગલે કરાંચીથી મુંબઈ આવનારી ફ્લાઈટને પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે બંધ કરવામાં આવી રહી છે. ઉરી એટેક બાદ સર્જિકલ સ્ટ્રાઈક અને તે પછી ભારત અને પાકિસ્તાનને જોડતી નિયંત્રણ સીમમાં તણાવ સતત વધી રહ્યો છે, જેને પગલે મુસાફરોને વીઝા મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
આ પહેલા 15મી મેના દિવસે આ ફ્લાઈટ ઉપર રોક લગાવવાની હતી પરંતુ પાકિસ્તાન પીઆઈએએ જણાવ્યુ હતુ કે હવે તે સોમવારથી જ આ ફ્લાઈટ બંધ કરી દેશે.આ રૂટ ઉપર વીઝાના પ્રોબ્લેમ કારણે મુસાફરોની સંખ્યા ઘટી રહી છે. જેને કારણે ભારત-પાક વચ્ચે ચાલતી એકમાત્ર ડાયરેક્ટ ફ્લાઈટ પણ હવે બંધ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ અઠવાડિયામાં ત્રણ દિવસ કરાંચીથી મુંબઈ આવતી હતી.
Next Story