Connect Gujarat
દેશ

જમ્મુ કાશ્મીરમાં ઉરી અને નૌગામ ઘુસપેઠ દરમિયાન 2 આતંકીઓ ઠાર , એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં ઉરી અને નૌગામ ઘુસપેઠ દરમિયાન 2 આતંકીઓ ઠાર , એક જવાન શહીદ
X

જમ્મુ કાશ્મીરમાં ઉરી અને નૌગામમાં પાકિસ્તાની આંતકીઓએ એક વાર ફરી ઘુસપેઠ કરવાની કોશિશ કરી રહ્યા હતા,જેમાં સુરક્ષાદળોએ તેને નિષ્ફળ બનાવી હતી. જવાનોએ નૌગામમાં ઘૂસપેઠ દરમિયાન બે આંતકવાદીઓને ઠાર કર્યા હતા, ગોળીબારમાં એક જવાન પણ શહીદ થયો હતો.

પાકિસ્તાની સીમા થી ઉરી અને નૌગામમાં ગુરુવારે સવારે આતંકીઓએ ઘૂસપેઠ કરી હતી,જાણવા મળ્યુ હતુ કે ગુરુવારે LOC સેટ ઉરીમાં 5 થી 6 આંતકવાદીઓ ઘૂસપેઠની કોશિશ કરી રહ્યા હતા,જેમાં સુરક્ષા દળો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બુધવારની રાતે શોપિયામાં સુરક્ષા દળોની ગાડી પલ્ટી મારી ગઈ હતી જેમાં 12 CRPFના જવાન ઘાયલ થયા હતા,અને તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

Next Story