Connect Gujarat
દુનિયા

ઇજિપ્તની સુફી મસ્જિદમાં આતંકી હુમલામાં 235નાં મોત

ઇજિપ્તની સુફી મસ્જિદમાં આતંકી હુમલામાં 235નાં મોત
X

ઇજિપ્તમાં શુક્રવારની નમાઝ દરમિયાન જ એક મસ્જિદમાં આતંકીઓએ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, અને સાથે ફાયરિંગ પણ થયુ હતુ, જેને પગલે આ મસ્જિદમાં નમાઝ અદા કરી રહેલા 235 લોકોનાં મોત થાય હતા. જ્યારે 250 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

સુરક્ષા જવાનોએ જણાવ્યુ હતુ કે આતંકીઓએ પહેલાથી જ આ વિસ્તારમાં બોમ્બને પ્લાન્ટ કરી દીધો હતો અને જેવા લોકો નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે જ આ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેને પગલે મસ્જિદમાં ઠેર ઠેર લોહી ઉડયું હતું અને લાશોના ઢગલા પડી ગયા હતા. અત્યાર સુધીમાં 235 લોકોના મોત નિપજ્યા છે, જોકે ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધુ હોવાથી મૃત્યુઆંક વધી શકવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Next Story