ઈરાનમાં પ્લેન ક્રેશ થતા 66 મુસાફરોનાં મોતની આશંકા
BY Connect Gujarat18 Feb 2018 10:28 AM GMT
X
Connect Gujarat18 Feb 2018 10:28 AM GMT
ઈરાનનું એક મુસાફર વિમાન ક્રેશ થયુ છે. જેમાં 66 લોકોનાં મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મિડીયા અનુસાર વિમાન દક્ષિણી ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને વિમાનમાં 66 લોકો સવાર હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર વિમાન તહેરાનથી યાસૂજ જવા માટે ઉડાન ભરી હતી.ત્યાર બાદ તરત જ રડાર પરથી ગાયબ થઈ ગયુ હતુ. સેન્ટ્રલ ઈરાનનાં સેમીરોમ નજીક દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ મળ્યો છે. રાહત અને બચાવ દળ દુર્ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે.
Next Story