ભરૂચ નજીક અાઇશર - રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત
BY Connect Gujarat21 Feb 2018 1:29 PM GMT
X
Connect Gujarat21 Feb 2018 1:29 PM GMT
પાલેજ નજીક ને. હાઇવે નંબર ૪૮ પર પાલેજ નજીક અાવેલા કરજણના હલદરવા ગામ પાસે અાઇશર ટેમ્પો તથા રીક્ષા વચ્ચે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં એકનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય પાંચને ગંભીર ઇજા પોહચી હતી. પાલેજ નજીક અાવેલા કરજણના હલદરવા ગામ પાસે બપોરના સમયે અાઇશર તથા રીક્ષા વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા ગોજારા અકસ્માતમાં એક ઇસમનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજવા પામ્યું હતું. જયારે અન્ય પાંચ ઇસમોને ઇજાઓ થવા પામી હતી અકસ્માત માં મરનાર ઇસમ તેમજ ઇજાગ્રસ્તો સ્થાનિક રહીશો હોવાનું બહાર આવ્યું છે.
Next Story