Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : કાંકરિયા કાર્નિવલ- 2019નો કરાશે પ્રારંભ, મુખ્યમંત્રી વિજય રૂપાણી રહેશે હાજર

અમદાવાદ : કાંકરિયા કાર્નિવલ- 2019નો કરાશે પ્રારંભ, મુખ્યમંત્રી વિજય રૂપાણી રહેશે હાજર
X

અમદાવાદ શહેરમાં તા. 25 ડિસેમ્બરથી 7 દિવસ સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કાંકરિયા કાર્નિવલ દરમ્યાન અમદાવાદીઓ અવનવા રંગારંગ કાર્યક્રમો પણ માણશે.

અમદાવાદીઓ માટે બીજો ઉત્સવ એટલે કાંકરિયા કાર્નિવલ. આ કાર્નિવલમાં છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે કાંકરિયા ખાતે રંગમંચને તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લોકો માટે ગુજરાતના કલાકારો રંગમંચ પર અવનવા રંગારંગ કાર્યક્રમ કરશે.

કાંકરિયા કાર્નિવલની રૂપરેખાની વાત કરવામાં આવે તો, વર્ષ 2008થી શરૂ થયેલા કાર્નિવલનું આ 12મું વર્ષ હશે. તા. 25થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. જોકે આકર્ષણના કેંદ્રો દર વર્ષની જેમ પપેટ શો, લાઈવ ડ્રામાલોક, નૃત્યો, ડોગ શો, હોર્સ શો, રોક બેન્ડ, હાસ્ય દરબાર, લેસર શો અને આતશબાજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સરકારની મંજૂરી મળી ગયા બાદ આવનારા દિવસોમાં એમ્યુઝમેન્ટ પાર્કને પણ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે AMC દ્વારા 700 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ કરવામાં આવશે.

Next Story