અમદાવાદ : 2008ના સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં 49 આરોપીઓ UAPA હેઠળ દોષી જાહેર

અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં શ્રેણીબધ્ધ બોંબ ધડાકાઓના કેસમાં 14 વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે.

New Update
અમદાવાદ : 2008ના સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં 49 આરોપીઓ UAPA હેઠળ દોષી જાહેર

અમદાવાદ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓની ટીમે રાત દિવસ કામ કરીને 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી છે. અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.

અમદાવાદમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહીદ્દીને લીધી હતી. મુફ્તિ અબુ બશર તેમજ અન્ય 9 આરોપી બ્લાસ્ટના મુખ્ય આરોપી છે. બ્લાસ્ટ માટે ટિફિન બોમ્બ, સ્કુટર અને કારનો ઉપયોગ થયો હતો. બ્લાસ્ટ સમયે તપાસ અધિકારી તરીકે રહેલાં પી.જે. વાઘેલાએ જણાવ્યું કે શરૂઆતની તપાસમાં અમને ખુબજ મહેનત કરવી પડી હતી. અમે રાત દિવસ એક કરી નાખ્યા હતાં. અલગ અલગ રાજ્યોમાંથી પણ આરોપીને પકડવા આવ્યા હતા આ આખું મોડયુઅલ સિમિનું છે. 2002 માં જે તોફાન થયા હતા તેનો બદલો લેવા માટે બોંબ ધડાકાઓનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આખા કેસનો પર્દાફાશ કરવા ટેક્નિકલ રિસોર્સ અને સર્વેલન્સના આધારે કર્યો હતો.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

Latest Stories