અમદાવાદમાં PM મોદી વિરુદ્ધ પોસ્ટર્સ લગાવનારા 8 લોકોની પૂલિસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ: PM મોદી વિરુદ્ધ પોસ્ટર્સ લગાવનારા 8 લોકોની ધરપકડ, લખ્યુ હતું ‘મોદી હટાવો, દેશ બચાવો’ અમદાવાદ શહેરમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા વિવિધ સ્થળોએ PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
આ પોસ્ટર્સમાં ‘મોદી હટાવો, દેશ બચાવો’ના સૂત્રો લખવામાં આવ્યા હતા. ઘટના બાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને આ મામલે 8 જેટલા લોકો સામે ફરિયાદ નોંધીની તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ગુરુવારે ઈસનપુર, વટવા, મણીનગર, નારોલ, વાડજ તથા એરપોર્ટ વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા કુલ 8 જેટલા વ્યક્તિ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 ફરિયાદો નોંધવામાં આવી છે અને વાંધાજનક પોસ્ટરો લગાડીને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાનું અપરાધિક કૃત્ય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.