અમદાવાદ: શારીરિક સંબંધ બાંધવાની ના કહેતા યુવાને બે મહિલાની કરી હત્યા,જુઓ ચોંકાવનારો કિસ્સો

અમદાવાદ ગ્રામ્યમાં કાણભા ગામની સીમમાં બે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

New Update
અમદાવાદ: શારીરિક સંબંધ બાંધવાની ના કહેતા યુવાને બે મહિલાની કરી હત્યા,જુઓ ચોંકાવનારો કિસ્સો

અમદાવાદ ગ્રામ્યમાં કાણભા ગામની સીમમાં બે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ મહિલાઓને શારીરિક સંબંધ રાખવાનું કહેતા મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેથી તેમની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે

Advertisment W3.CSS

અમદાવાદ જિલ્લામાં કાણભા ગામની બે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. જે કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ધ્વારા હત્યારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, 3જી ફેબ્રુઆરીએ બંને મહિલા લાકડા લેવા માટે ખારી નદીના પટમાંથી ગૌચર તરફ ગઈ હતી ત્યારે ગૌચરવાળી જમીન બાજુથી લાકડા કાપવાનો અવાજ આવતા આરોપી ધારિયું લઈને ગાળો બોલતો બોલતો ત્યાં આવ્યો હતો અને મહિલાઓને ધમકી આપી હતી. બંને મહિલાની નજીક આવી આરોપી કહેવા લાગ્યો હતો કે, ‘તમારે લાકડા કાપવા હોય તો મારી સાથે સંબંધ બાંધવો પડશે.’ ત્યારે ગીતાબેને આ વાત ગામલોકોને કહી દેવાની વાત કરી તો આરોપીએ ધારિયું લઈને ગીતાબેનની હત્યા કરી નાંખી હતી. મંગીબેન ત્યાં હાજર હોવાથી તેમની પણ હત્યા કરી નાંખી હતી. પોલીસે ધરપકડ કરી હતી તે આરોપીનું નામ રોહિત ચુનારા છે અને તેણે એકસાથે બે મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.આરોપીએ હત્યા કર્યા બાદ કંઈ બન્યું જ ન હોય તે રીતે વર્તન કરી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.

Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment