અમદાવાદ : AMTS બસના કંડક્ટર પર પૂર્વ પ્રેમિકાએ "તું મારી સાથે સંબંધ કેમ રાખતો નથી" કહી કર્યો એસિડ એટેક..!

પ્રેમ સંબંધમાં યુવતી પર એસિડ ફેંકવામાં આવે છે અને એવા બનાવ મેરઠ, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં બનાવ બન્યા છે. પણ ગુજરાતમાં ઉલટો બનાવ બન્યો છે.

New Update
અમદાવાદ : AMTS બસના કંડક્ટર પર પૂર્વ પ્રેમિકાએ "તું મારી સાથે સંબંધ કેમ રાખતો નથી" કહી કર્યો એસિડ એટેક..!

પ્રેમ સંબંધમાં યુવતી પર એસિડ ફેંકવામાં આવે છે અને એવા બનાવ મેરઠ, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં બનાવ બન્યા છે. પણ ગુજરાતમાં ઉલટો બનાવ બન્યો છે. અમદાવાદમાં એક યુવતીએ આધેડ વયના કંડક્ટર પર એસિડ ફેંક્યું છે. આ યુવતી કંડક્ટરની પૂર્વ પ્રેમિકા હોવાનું સામે આવ્યું છે. AMTSમાં કંડકટર તરીકે ફરજ બજાવતા વ્યક્તિ પર તેની 38 વર્ષીય પૂર્વ પ્રેમિકાએ મિત્ર સાથે આવીને કેમ સંબંધ રાખતો નથી? કહીને એસિડ ફેક્યું હતું, જેના કારણે કંડકટરને શરીર પર ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદના બાપુનગરમાં રહેતા 51 વર્ષીય રાકેશ બ્રહ્મભટ્ટ AMTSમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે. અત્યારે તેઓ કંટ્રોલર તરીકે ફરજ બજાવી રહ્યા છે. 5 વર્ષ અગાઉ રાકેશભાઈ બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે 38 વર્ષીય મહેજબિન નામની યુવતી સાથે તેમને પ્રેમ થયો હતો. મહેજબિન જુહાપુરામાં આયશા મસ્જીદ પાસે આવેલા અંજુમ પાર્કની રહેવાસી છે. બંને વચ્ચે 4 વર્ષ સુધી સંબંધ રહ્યા હતા પરંતુ, એક વર્ષ અગાઉ રાકેશભાઈના પત્ની અને પરિવારના સભ્યોને જાણ થતાં તેમને પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો, જેની અદાવત રાખીને મહેજબિન ગઈકાલે સાંજે સાડા આઠ વાગ્યે મિત્ર મિત સાથે આવી અને એસિડ અટેક કર્યો હતો. અટેક બાદ બંને ફરાર થઈ ગયા હતા. જેનાથી તેમના જમણી આંખે, પીઠ તથા ગુપ્ત ભાગે દાઝ્યા હતા. આજુબાજુના લોકો તુરંત જ એકત્રિત થઈ ગયા હતા અને કંડક્ટરને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. રાકેશભાઈએ આ સમગ્ર મામલે બંને વિરુદ્ધમાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories