અમદાવાદ: AMC દ્વારા બસના મુસાફરોની સુવિધા માટે "કુલ બસ સ્ટોપ" બનાવાયા

આ કાળઝાળ ગરમીમાં રાહત આપતા સમાચાર છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે લાલ દરવાજા બસ ટર્મિનલ મુસાફરો માટે કુલ બસ સ્ટોપ બનાવ્યા છે.

New Update
  • AMCનો નવતર અભિગમ

  • ગરમીમાં મુસાફરોને મળશે રાહત

  • મુસાફરોને મળશે મોટી રાહત

  • "કુલ" બસ સ્ટોપ બનાવવામાં આવ્યા

  • બસ સ્ટોપમાં તાપમાન 6-7 ડીગ્રી રહેશે

ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં રાહત આપતા સમાચાર છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે લાલ દરવાજા બસ ટર્મિનલ મુસાફરો માટે કુલ બસ સ્ટોપ બનાવ્યા છે. આ બસ સ્ટોપથી તાપમાન 6 થી 7 ડિગ્રી જેટલું નીચું રહે છે. 
અમદાવાદમાં  હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં મુસાફરોને રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટે લાલ દરવાજા ટર્મીનસ પ્લેટફોર્મ નં. 7 અને 8 પર ખસના પડદાં લગાવી 'કુલ બસ સ્ટોપ' બનાવવામાં આવ્યું છે. સૂકા ઘાસમાંથી બનેલા ખસના પડદાંનો ઉપયોગ કરીને બનાવેલા આ કુલ બસ સ્ટોપના કારણે બસ સ્ટોપમાં મુસાફરોને રાહત મળે છે. 
આ કુલિંગ બસસ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે કે જ્યા દરરોજ 3,000 થી વધુ મુસાફરોની અવર-જવર રહે છે. અહીં, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, મજૂરો, તથા અન્ય લોકો આ રૂટ પર મુસાફરી કરે છે. આ પહેલ માટે મુસાફરોએ પ્રશાસનની પ્રસંશા કરી છે. 
વધુને વધુ લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે દિશામાં એ.એમ.ટી.એસનું આ મહત્વપૂર્ણ કદમ છે. આગામી સમયમાં શહેરના અન્ય મુખ્ય બસ સ્ટોપ પર પણ આ પ્રકારના કુલિંગ વ્યવસ્થા ઉભી કરવાની વિચારણા છે. આ પહેલ અન્ય માટે પણ પ્રેરણારૂપ છે.
Read the Next Article

“તેરા તુઝકો અર્પણ” : સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીં, પણ ભરોસાની નવી ચાવી : DGP વિકાસ સહાય

ગુજરાત પોલીસની “તેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે...

New Update
  • ગુજરાત રાજ્ય માટે અસરકારક સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલ

  • પોલીસનાતેરા તુઝકો અર્પણ” અભિયાનને સાંપડ્યો પ્રતિસાદ

  • સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવામાં સરળતા

  • અનેક ભોગ બનનારને ઉકેલ મેળવવા મદદરૂપ થયું છે પોર્ટલ

  • સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ :DGP વિકાસ સહાય

સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલતેરા તુઝકો અર્પણ” પહેલ ગુજરાત માટે અસરકારક સાબિત થઈ રહી છે. સામાન્ય જનતાને ટેકનોલોજીની માયાજાળમાં ફસાવી આજે અનેક છેતરપિંડીના કેસો બને છેત્યારે ગુજરાત પોલીસનીતેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે'સાઈબર ક્રાઈમ રિફંડ પોર્ટલએટલે કેતેરા તુઝકો અર્પણ" અભિયાન શરૂ કર્યું છે. જે ઓનલાઇન ઠગાઈના શિકાર થયેલા લોકોને મદદરૂપ બને છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયએ જણાવ્યુ હતું કેઆ પોર્ટલ ઉપર ફરિયાદ કરવાની પ્રક્રિયા સરળ છે અને ફરિયાદ ઝડપથી પોલીસ સેલ સુધી પહોંચે છે.

જોકેઆ પોર્ટલ ઉપર કોઈ પણ સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિ સીધી જ ફરિયાદ નોંધાવી શકે છે. જેને સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા ટ્રેક કરવામાં આવે છેત્યારબાદ પૈસા પરત મેળવવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ ઉપરાંતહેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને પણ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી શકાય છે.

આ પોર્ટલની ખાસિયત એ છે કેતે રીઅલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા આપે છે. જેના કારણે નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર પડતી નથી. અનેક કેસોમાં માત્ર 24થી 48 કલાકમાં પૈસા પાછા મળ્યા છે. ગાંધીનગરના રહેવાસી તબીબ પણ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હતાત્યારે સાયબર સેલની મદદથી તેમને 48 કલાકમાં જ તેમના પૈસા પરત મળી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કેહજારોથી વધુ લોકોને આ પોર્ટલ દ્વારા રાહત મળી ચૂકી છે. તેવામાં સાઇબર ક્રાઈમ સામે લડવાની આ નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીંપણ ભરોસાની નવી ચાવી છે.