અમદાવાદ: ભાજપ ગુંડાગીરી કરી રહી છે તો આપ ધર્મના નામે મત લેવા માંગે છે, જુઓ કોણે આપ્યું આવુ નિવેદન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ ગુજરાતના રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

New Update
અમદાવાદ: ભાજપ ગુંડાગીરી કરી રહી છે તો આપ ધર્મના નામે મત લેવા માંગે છે, જુઓ કોણે આપ્યું આવુ નિવેદન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે કોંગ્રેસના મીડિયા વિભાગના ચેરમેન પવન ખેરાએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ ગુજરાતના રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય તેમજ આદિવાસી નેતા અનંત પટેલ પર થયેલ હુમલાને લઈને કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા ભાજપ સરકાર સીધા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજ AICC મીડિયા વિભાગના ચેરમેન પવન ખેરાએ ભાજપ સરકારની સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ આડેહાથ લીધી હતી.AICC મીડિયા વિભાગના ચેરમેન પવન ખેરાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કોંગ્રેસનાં ધારાસભ્ય હુમલો કરાવવામાં આવ્યો છે.

વધુમાં તેઓએ આમ આદમી પાર્ટી પર પણ આક્ષેપ કર્યા હતા તેઓએ જણાવ્યુ હતું કે દિલ્હીના મુખ્યપ્રધાન ગુજરાતમાં આવીને જન્માષ્ટમીના દિવસે પેદા થયો હોવાથી મને મત આપો અને દિલ્હીમાં હનુમાનજી બની જાય છે ત્યારે ધર્મના નામે રાજીનીતિ કરવી યોગ્ય નથી તેવું તેઓએ જણાવ્યુ હતું

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.

Latest Stories