Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ભાજપ ગુંડાગીરી કરી રહી છે તો આપ ધર્મના નામે મત લેવા માંગે છે, જુઓ કોણે આપ્યું આવુ નિવેદન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ ગુજરાતના રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ: ભાજપ ગુંડાગીરી કરી રહી છે તો આપ ધર્મના નામે મત લેવા માંગે છે, જુઓ કોણે આપ્યું આવુ નિવેદન
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે કોંગ્રેસના મીડિયા વિભાગના ચેરમેન પવન ખેરાએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ ગુજરાતના રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય તેમજ આદિવાસી નેતા અનંત પટેલ પર થયેલ હુમલાને લઈને કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા ભાજપ સરકાર સીધા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજ AICC મીડિયા વિભાગના ચેરમેન પવન ખેરાએ ભાજપ સરકારની સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ આડેહાથ લીધી હતી.AICC મીડિયા વિભાગના ચેરમેન પવન ખેરાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કોંગ્રેસનાં ધારાસભ્ય હુમલો કરાવવામાં આવ્યો છે.

વધુમાં તેઓએ આમ આદમી પાર્ટી પર પણ આક્ષેપ કર્યા હતા તેઓએ જણાવ્યુ હતું કે દિલ્હીના મુખ્યપ્રધાન ગુજરાતમાં આવીને જન્માષ્ટમીના દિવસે પેદા થયો હોવાથી મને મત આપો અને દિલ્હીમાં હનુમાનજી બની જાય છે ત્યારે ધર્મના નામે રાજીનીતિ કરવી યોગ્ય નથી તેવું તેઓએ જણાવ્યુ હતું

Next Story