Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક વ્યક્તિની પાવડાના ઘા મારી ઘાતકી હત્યા,જુઓ CCTV

વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતાં વ્યક્તિની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક વ્યક્તિની પાવડાના ઘા મારી ઘાતકી હત્યા,જુઓ CCTV
X

અમદાવાદમાં વધતા હત્યાના બનાવો વચ્ચે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતાં વ્યક્તિની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં રિટર્નિંગ દીવાલ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહ્યું છે. ગઈકાલે રાતે તળાવ પાસેથી 30 વર્ષીય મજૂર લાલા સંગાડાનો ખાટલામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના ગળા તથા માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઈજા થયેલી હતી. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને ઓળખ કરાવી હતી.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપસ્યા ત્યારે એક અજાણી વ્યક્તિ ખાટલા પર સૂતેલા મજૂરને બાજુમાં પડેલો પાવડો લઈને આડેધડ ઘા મારવા લાગી હતો. મજૂર સૂતો હતો, જેથી બચવાનો વધારે પ્રયત્ન પણ ના કરી શક્યો. હત્યારાએ ઉપરાછાપરી માથા અને ગળામાં 11 ઘા મારતા મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યારો હત્યા કરીને શાંતિથી ચાલતો ચાલતો પાવડો લઈને જતો પણ CCTVમાં દેખાઈ રહ્યો છે

Next Story