અમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો મુકાયો, 1 લાખથી વધુ રાહદારીઓને રાહત થશે

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ અનુપમ રેલવે ઓવરબ્રિજ છેલ્લા 5 વર્ષથી બંધ હતો. કારણ કે આ બ્રિજનું સમારકામ ચાલતું હતું.

અમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો મુકાયો, 1 લાખથી વધુ રાહદારીઓને રાહત થશે
New Update

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા પ્રતિ દિવસ વધી રહી છે ત્યારે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને જોડતો મહત્વનો અનુપમ રેલવે ઓવરબ્રિજ આખરે 5 વર્ષના લાંબા સમય બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મૂકતાં આખરે અહીં રહેતા સ્થાનિકોને રાહત મળી છે.

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ અનુપમ રેલવે ઓવરબ્રિજ છેલ્લા 5 વર્ષથી બંધ હતો. કારણ કે આ બ્રિજનું સમારકામ ચાલતું હતું. જેને કારણે પ્રતિ દિવસ 1 લાખથી વધુ લોકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી અને અંદાજિત 2 કિલોમીટર ફરીને પોતાના સ્થાને પહોંચ્યા હતા, પણ આખરે 5 વર્ષ બાદ બ્રિજનું કામ પૂર્ણ થતા ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરી પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી રોજના લાખો લોકો અવરજવર કરે છે 5 વર્ષ પહેલા જ્યારે બ્રિજ બંધ કરવામાં આવ્યો ત્યારે તે બ્રિજ પર ગાબડું પડ્યું હતું અને ત્યારથી આ બ્રિજ બંધ હતો. અનેકવાર સ્થાનિક લોકોએ આ બ્રિજ વહેલા ચાલુ થાય તેના માટે વિરોધ પણ કર્યો હતો. પરંતુ આખરે 5 વર્ષ બાદ બ્રિજ તૈયાર થયો અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ આ બ્રિજ ચાલુ થતાં હવે સમય અને ખર્ચ પણ બચશે.

#Connect Gujarat #BeyondJustNews #CM Bhupendra Patel #Ahmedabad #bridge #Open #Anupam Bridge
Here are a few more articles:
Read the Next Article