અમદાવાદ: કોંગ્રેસે GMERSના વહીવટ પર ઉઠાવ્યા સવાલ,કૌભાંડના કર્યા આક્ષેપ

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીના વહીવટની ચકાસણી કેગ દ્વારા કરાવવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

New Update

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીના વહીવટની ચકાસણી કેગ દ્વારા કરાવવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી કૌભાંડનું ઘર બની ગઈ હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.આ અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોસીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા જે લોકસભામાં જાહેરાત કરવામાં આવેલી કે આખા ભારતમાં 100 મેડિકલ કોલેજો નવી ખોલવામાં આવશે એમાંની પાંચ મેડિકલ કોલેજો રાજપીપળા,મોરબી,ગોધરા, નવસારી,પોરબંદર ગુજરાત ને ફાળવવામાં આવેલી છે અને તેની અંદર 60% કેન્દ્ર સરકાર આપી રહી છે આથી આ મેડિકલ કોલેજો સંપૂર્ણપણે સરકારી ગણાય એને ગુજરાત સરકાર કોઈપણ સંજોગોમાં GMERS માં લઈ જઈ ના શકે અને તેની ફી સંપૂર્ણ સરકારી લેવલની હોવી જોઈએ.
રાજયની પાંચ મેડિકલ કોલેજો રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે 60 ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે, આ તમામ કોલેજોમાંથી 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા કવોટા તરીકે પણ આપવામાં આવે છે.કોલેજોમાં સરકારીધોરણે ફી લેવાના બદલે મેડિકલ સોસાયટીમાં સામેલ કરીને લાખો રૂપિયા ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખરેખર મેડિકલ સોસાયટીના વહીવટની ચકાસણી કેગ દ્વારા કરવામાં આવે તો અનેક પ્રકારના ગોટાળા અને કૌભાંડો બહાર આવે તેમ છે. 
Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.