અમદાવાદ : વરસાદી પાણી ઓસરતા સ્થાનિકોની વેદના અને વ્યથા જાણવા પહોચી કનેક્ટ ગુજરાતની ટીમ...

અમદાવાદમાં 48 કલાક બાદ જ્યારે લોકોના ઘરમાંથી પાણી ઓસર્યા છે, ત્યારે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

New Update
અમદાવાદ : વરસાદી પાણી ઓસરતા સ્થાનિકોની વેદના અને વ્યથા જાણવા પહોચી કનેક્ટ ગુજરાતની ટીમ...

અમદાવાદમાં 48 કલાક બાદ જ્યારે લોકોના ઘરમાંથી પાણી ઓસર્યા છે, ત્યારે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં અનેક વિસ્તારો અને સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી, ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમે દેવાસ ફ્લેટની મુલાકાત લઈ સ્થાનિકોની વેદના અને વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદ શહેરના જીવરાજપાર્કમાં આવેલ દેવાસ ફ્લેટમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ હવે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. ભારે વરસાદથી ફ્લેટ સહિત નીચાણવાળા વિસ્તારમાં અચાનક પાણી આવ્યું હતું. જેના કારણે લોકોના ઘરમાં કેડસમા પાણી ભરાયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી આવી જતાં લોકોના ઘરમાં લગભગ 6થી 7 ફૂટ સુધી પાણી ફરી વળ્યું હતું. જોકે, હવે આ પાણી ઓસરતા લોકોની ઘરવખરી સહિત અનાજ પાણીમાં પલળી ગયું છે, ત્યારે કોર્પોરેશન દ્વારા આ સોસાયટીમાં દવા છાટવાનું તેમજ ગંદકી દૂર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સોસાયટીના રહીશો છેલ્લા 24 કલાકથી પણ વધુ સમયથી લાઈટ અને પાણી વગર રહ્યા છે. પાણી ભરાવાના કારણે કીચડ અને ગંદકી પણ ફેલાઈ હતી, જેની પણ તસવીરો સામે આવતા અહીંના સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે, ત્યારે હાલ તો સ્થાનિકોને યોગ્ય સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise 

Latest Stories