અમદાવાદ : એક જ દિવસમાં 5 સ્થળ પર આગની ઘટનાથી ફાયર બ્રિગેડ દોડતું થયું

અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આગ લાગવાની પાંચ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.શહેરના પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી.

New Update
  • અમદાવાદ શહેરમાં આગની ઘટનાનો મામલો

  • એક જ દિવસમાં પાંચ સ્થળો પર લાગી આગ

  • આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો

  • 8 જેટલા ટુ વ્હીલર આવ્યા આગની ચપેટમાં

  • વટવા જીઆઈડીસીમાં પણ ભીષણ આગથી દોડધામ

  • ફાયર લાશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ

અમદાવાદમાં 5 અલગ અલગ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. જેમાં ચંડોળા અને વટવા ખાતે આવેલી ઝૂંપડપટ્ટીપ્રહલાદ નગર ખાતે આવેલા વિનસ એટલાન્ટિસવટવા જીઆઇડીસી ફેઝ-4ની કેમિકલ ફેક્ટરી અને બાપુનગર વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાની ઘટના બની હતી.

અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આગ લાગવાની પાંચ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.શહેરના પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી. આ આગની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જોકેઆગની ઘટનામાં વાહનો બળી ગયા હતા. વાહનોમાં લાગેલી આગના કારણે તેનું સ્વરૂપ વિકરાળ બની ગયું હતું. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસ મુજબઆગ ભારે ગરમીને કારણે પાર્ક કરેલા ટુ-વ્હીલર માંથી લાગી હોવાનું માનવામાં આવે છે. પાર્કિંગમાં ટુ વ્હીલર પાર્ક કરેલા હોવાથી એક પછી એક 8થી વધુ ટુ વ્હીલર આગની ચપેટમાં ગયા હતા. જોકે સદનસીબે રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા સમયસર જાણ કરવામાં આવતા અન્ય ટુ વ્હીલરોને ખસેડી લેવામાં આવ્યા હતા.

અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને આગને કાબુમાં લેવા માટે ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી લીધી છે. આ ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનિના અહેવાલ નથી.

અમદાવાદની વટવા ખાતે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તાર અને વટવા GIDC ફેઝ-4માં આવેલી જયશ્રી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. જેના કારણે આસપાસની 4થી 5 કંપનીઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી.આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

આમ અમદાવાદમાં એક જ દિવસમાં ચંડોળા અને વટવા ખાતે આવેલી ઝૂંપડપટ્ટીપ્રહલાદ નગર ખાતે આવેલા વિનસ એટલાન્ટિસવટવા જીઆઇડીસી ફેઝ-4ની કેમિકલ ફેક્ટરી અને બાપુનગર વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાની પાંચ ઘટનાઓ બની હતી.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.