અમદાવાદ: પૂર્વ CM સુરેશ મહેતાએ કરી પ્રેસ કોન્ફરન્સ,બજેટ બાબતે સરકારને કર્યા અનેક સવાલ

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ બજેટમાં રહી ગયેલ ખામી અંગે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને સવાલ પૂછ્યા હતા

New Update
અમદાવાદ: પૂર્વ CM સુરેશ મહેતાએ કરી પ્રેસ કોન્ફરન્સ,બજેટ બાબતે સરકારને કર્યા અનેક સવાલ

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ બજેટમાં રહી ગયેલ ખામી અંગે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને સવાલ પૂછ્યા હતા ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૩ અને ૨૪નું ૩.૦૧લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં આ વખતે ૪ દસ્તાવેજો મૂકવામાં આવ્યા નથી. વર્ષોથી આ દસ્તાવેજો ફરજિયાત બજેટમાં મૂકવામાં આવે છે પરંતુ આ વખતે તે દસ્તાવેજ નથી મૂક્યા.

Advertisment W3.CSS

જે બાબતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ દસ્તાવેજોનું શું મહત્વ છે તે બાબતે પણ સમજાવ્યું હતું.આ બજેટમાં આગામી ત્રણ વર્ષમાં સરકાર જુદા જુદા વિભાગોમાં મહત્વની યોજનાઓ પાછળ કેટલો ખર્ચ થશે અને તેમઆ શું સિદ્ધ થશે તેની વિગતો દસ્તાવેજોથીં પ્રાપ્ત થાય છે પરંતુ આ દસ્તાવેજ બજેટમાં રજૂ નહિ કરીને ખરેખર ભૌતિક સિદ્ધિઓ મેળવવામાં આવશે તેનો કોઈ અંદાજ સરકારે આપ્યો નથી અને એટલે સિધ્ધ પ્રશ્નો ઊભા થાય છે કે બજેટમાં ખર્ચ થશે પણ ખર્ચથી શું સિદ્ધ થશે એ અંગે સરકાર પોતે જ અજાણ છે

Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment