અમદાવાદ : આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા માટે આંદોલન

ગાંધીનગરમાં આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.

New Update
  • શિષ્યવૃતિને પુનઃ ચાલુ કરવા માટે આંદોલન

  • આદિવાસી સમુદાયના ઉમેદવારોએ કર્યું વિરોધ પ્રદર્શન

  • આપનાં MLA ચૈતર વસાવા પણ આંદોલનમાં જોડાયા

  • ઉમેદવારોએ સરકાર વિરોધ કર્યા સુત્રોચ્ચાર 

  • પોલીસે વિરોધ પ્રદર્શન કરતા ઉમેદવારોની કરી અટકાયત 

Advertisment

ગાંધીનગરમાં આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાયા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તો તેને શિષ્યવૃતિ મળવાપાત્ર રહેશે નહીં.આ વિષયે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024નો વધારે ઉમેરા સાથે પરિપત્ર કર્યો હતો કે જે વિદ્યાર્થી વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવે છેતો તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે.

આ મુદ્દે ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટા માંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે. આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજના 50,000 કરતા પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે.

આ પરિપત્રની અગાઉ જે સંસ્થાઓએ વેકેન્ટ ક્વોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છેજેમાં ડિપ્લોમાડિગ્રીફાર્મસીનર્સિંગ આ બધા વિદ્યાર્થીઓ જેને વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ મળ્યો છેતે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે નહીં તેવો રાજ્ય સરકારનો પરિપત્ર થયો છે.રાજ્ય સરકારનો આ અણઘડ નિર્ણય હોવાનું આદિવાસી સમાજના ઉમેદવારો જણાવી રહ્યા છે,અને તાત્કાલિક રાજ્ય સરકાર આ નિર્ણયને પાછો ખેંચે તેવી માંગ સાથે ગાંધીનગરમાં આદિવાસી સમાજના ઉમેદવારોએ વિરોધ પ્રદશન કર્યું હતું,અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા,આ પ્રસંગે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાયા હતા.

 

Advertisment
Read the Next Article

અમદાવાદ : ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો,ચાર દિવસ ચાલશે કામગીરી, ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે.

New Update
  • ચંડોળા તળાવ પાસે ડિમોલિશનનો બીજો તબક્કો

  • ત્રણ હજારથી વધુ પોલીસ જવાન તૈનાત

  • 35થી વધુ જેસીબી મશીનનો ખડકલો

  • ચાર દિવસ ચાલશે ડિમોલિશનની કામગીરી

  • ડિમોલિશન પૂર્ણ થયા બાદ બાઉન્ડ્રી વોલ બનશે

Advertisment

અમદાવાદના ચંડોળા તળાવ પાસે આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે,તેમ જાણવા મળ્યું છે.

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશેતે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છેકે ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.

Advertisment