અમદાવાદ : આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા માટે આંદોલન

ગાંધીનગરમાં આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.

New Update
  • શિષ્યવૃતિને પુનઃ ચાલુ કરવા માટે આંદોલન

  • આદિવાસી સમુદાયના ઉમેદવારોએ કર્યું વિરોધ પ્રદર્શન

  • આપનાં MLA ચૈતર વસાવા પણ આંદોલનમાં જોડાયા

  • ઉમેદવારોએ સરકાર વિરોધ કર્યા સુત્રોચ્ચાર 

  • પોલીસે વિરોધ પ્રદર્શન કરતા ઉમેદવારોની કરી અટકાયત 

ગાંધીનગરમાં આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાયા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તો તેને શિષ્યવૃતિ મળવાપાત્ર રહેશે નહીં.આ વિષયે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024નો વધારે ઉમેરા સાથે પરિપત્ર કર્યો હતો કે જે વિદ્યાર્થી વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવે છેતો તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે.

આ મુદ્દે ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટા માંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે. આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજના 50,000 કરતા પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે.

આ પરિપત્રની અગાઉ જે સંસ્થાઓએ વેકેન્ટ ક્વોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છેજેમાં ડિપ્લોમાડિગ્રીફાર્મસીનર્સિંગ આ બધા વિદ્યાર્થીઓ જેને વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ મળ્યો છેતે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે નહીં તેવો રાજ્ય સરકારનો પરિપત્ર થયો છે.રાજ્ય સરકારનો આ અણઘડ નિર્ણય હોવાનું આદિવાસી સમાજના ઉમેદવારો જણાવી રહ્યા છે,અને તાત્કાલિક રાજ્ય સરકાર આ નિર્ણયને પાછો ખેંચે તેવી માંગ સાથે ગાંધીનગરમાં આદિવાસી સમાજના ઉમેદવારોએ વિરોધ પ્રદશન કર્યું હતું,અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા,આ પ્રસંગે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાયા હતા.

 

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાય, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત...

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા-પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાંથી જળ લઇ પરત ફરી

New Update
  • અષાઢી બીજના રોજ 148મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું

  • જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળી

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જળયાત્રાનું આયોજન

  • ભગવાનને પંચામૃત સહિતના દ્રવ્યોથી સ્નાન કરાવવામાં આવ્યું

  • સાધુ સંતોએ માલપુવા - દૂધપાક સહિતનો પ્રસાદ ગ્રહણ કર્યો

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પૂર્વે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ જેઠ સુદ પૂનમના દિવસે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી વાજતે ગાજતે હાથીબેન્ડવાજાધજા-પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાંથી જળ લઇ પરત ફરી હતી. દર વર્ષે જળાભિષેક માટે સાબરમતી નદીમાંથી પાણી લાવવામાં આવે છેત્યાં આ વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમવાર AC ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ પાણી લાવવામાં આવ્યું હતું. જોકેમંદિરે ભગવાન પરત ફર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીસાધુ-સંતોયજમાન સહિત અનેક ભક્તો દ્વારા ભગવાનને જળાભિષેક કરાયો હતો.

અમદાવાદના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતે ભગવાનને દુધદહીખાંડમધપંચામૃત સહિતના દ્રવ્યોથી સ્નાન કરાવામાં આવ્યું હતું. વિષ્ણુ અવતાર ભગવાન જગન્નાથજીને પ્રિય તુલસી દલ અર્પણ કરાયું હતુંઅને આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ ભગવાનને વર્ષમાં એકવાર પહેરાવવામાં આવતો ગજવેશ પહેરાવાયો હતો. જમાલપુર જગન્નાથ મંદિરે સાધુ સંતોએ ધોળી દાળકાળી રોટી એટલે કે માલપુવા અને દૂધપાક સહિતનો પ્રસાદ લીધો હતો. તો બીજી તરફભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તૃત માહિતી આપી હતી.