અમદાવાદ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં બનશે ઓવરબ્રિજ,જુઓ શું છે વિશેષતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ફ્લાય વોર્ડ બ્રિજ બનાવવાનું નક્કી કરવામા આવ્યું છે.

New Update
અમદાવાદ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં બનશે ઓવરબ્રિજ,જુઓ શું છે વિશેષતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ફ્લાય વોર્ડ બ્રિજ બનાવવાનું નક્કી કરવામા આવ્યું છે.અમદાવાદના સત્તાધાર જંકશન પર 975 મીટર લાંબો અને 16.50 મીટર પહોળો બ્રિજ અંદાજિત 81 કરોડના ખર્ચે તૈયાર થશે.જેનું કામ 2 વર્ષમાં પૂર્ણ કરવાનો અંદાજ મુકવામા આવ્યો છે.

Advertisment W3.CSS

અમદાવાદમાં મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ચાર રસ્તા સિગ્નલ મુક્ત બને તે માટે અલગ અલગ મોટા જંકશન પર ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે.શહેરમાં હાલમાં 80 વધુ જંકશન પર બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે.આગામી સમયમાં પણ હજુ એક નવો બ્રિજ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહના મતવિસ્તારમાં અંદાજિત 81 કરોડના ખર્ચે 4 લેન બ્રિજ તૈયાર કરવામાં આવશે.રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ઓવરબ્રિજ કે અંડર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં સતાધાર જંકશન પર બ્રિજ બનાવવામાં આવશે જે આગામી 24 મહિનામાં પૂર્ણ કરવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ બ્રિજની લંબાઈ આશરે 975 મીટર જ્યારે પહોળાઈ 16.50 મીટરની રહેશે. આ જંકશનમાં ઓબ્લિગેટરી પબ્લિક ગેટરની સ્પાનની લંબાઈ 35 મીટર અને ક્લિયર ઊંચાઈ 5.50 રાખવામાં આવશે.આ ફ્લાય ઓવરબ્રિજ પોર્શન સાઈટ પરથી ઝડપથી કામગીરી થઈ શકે તે માટે બંને સાઈડ કુલ 26 સ્પાન પ્રીકાસ્ટ પોસ્ટ ટેન્સનિંગ મેથડથી લોન્ચ કરવાનું પ્લાનિંગ કરવામા આવ્યુ છે.જેમાં 30 મીટરની લંબાઈના કુલ 15 સ્પાન, 35 મીટરના 3 સ્પાન, 25 મીટરના અને 28 મીટર લંબાઈના 1 સ્પાન અને 20 મીટર લંબાઈના કુલ 6 સ્પાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 12 મીટર લંબાઈના કુલ 11 સ્પાન સોલિડ સ્લેબ મેથડથી કરવામાં આવશે. આ ફ્લાય ઓવર બ્રિજ અંદાજિત ખર્ચ 81 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે આ બ્રિજનું અંદાજિત 2 વર્ષની અંદર કામ પૂર્ણ કરવાનો અંદાજ પણ મૂકવામાં આવ્યો છે.

Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment
Latest Stories