અમદાવાદ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં બનશે ઓવરબ્રિજ,જુઓ શું છે વિશેષતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ફ્લાય વોર્ડ બ્રિજ બનાવવાનું નક્કી કરવામા આવ્યું છે.

New Update
અમદાવાદ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં બનશે ઓવરબ્રિજ,જુઓ શું છે વિશેષતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ફ્લાય વોર્ડ બ્રિજ બનાવવાનું નક્કી કરવામા આવ્યું છે.અમદાવાદના સત્તાધાર જંકશન પર 975 મીટર લાંબો અને 16.50 મીટર પહોળો બ્રિજ અંદાજિત 81 કરોડના ખર્ચે તૈયાર થશે.જેનું કામ 2 વર્ષમાં પૂર્ણ કરવાનો અંદાજ મુકવામા આવ્યો છે.

અમદાવાદમાં મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ચાર રસ્તા સિગ્નલ મુક્ત બને તે માટે અલગ અલગ મોટા જંકશન પર ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે.શહેરમાં હાલમાં 80 વધુ જંકશન પર બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે.આગામી સમયમાં પણ હજુ એક નવો બ્રિજ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહના મતવિસ્તારમાં અંદાજિત 81 કરોડના ખર્ચે 4 લેન બ્રિજ તૈયાર કરવામાં આવશે.રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ઓવરબ્રિજ કે અંડર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં સતાધાર જંકશન પર બ્રિજ બનાવવામાં આવશે જે આગામી 24 મહિનામાં પૂર્ણ કરવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ બ્રિજની લંબાઈ આશરે 975 મીટર જ્યારે પહોળાઈ 16.50 મીટરની રહેશે. આ જંકશનમાં ઓબ્લિગેટરી પબ્લિક ગેટરની સ્પાનની લંબાઈ 35 મીટર અને ક્લિયર ઊંચાઈ 5.50 રાખવામાં આવશે.આ ફ્લાય ઓવરબ્રિજ પોર્શન સાઈટ પરથી ઝડપથી કામગીરી થઈ શકે તે માટે બંને સાઈડ કુલ 26 સ્પાન પ્રીકાસ્ટ પોસ્ટ ટેન્સનિંગ મેથડથી લોન્ચ કરવાનું પ્લાનિંગ કરવામા આવ્યુ છે.જેમાં 30 મીટરની લંબાઈના કુલ 15 સ્પાન, 35 મીટરના 3 સ્પાન, 25 મીટરના અને 28 મીટર લંબાઈના 1 સ્પાન અને 20 મીટર લંબાઈના કુલ 6 સ્પાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 12 મીટર લંબાઈના કુલ 11 સ્પાન સોલિડ સ્લેબ મેથડથી કરવામાં આવશે. આ ફ્લાય ઓવર બ્રિજ અંદાજિત ખર્ચ 81 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે આ બ્રિજનું અંદાજિત 2 વર્ષની અંદર કામ પૂર્ણ કરવાનો અંદાજ પણ મૂકવામાં આવ્યો છે.

Read the Next Article

અમદાવાદ : અલકાયદા સાથે જોડાયેલા 4 શખ્સોની ગુજરાત ATSએ ધરપકડ કરી, AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

New Update
  • ATSએ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ

  • AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

  • જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પણ કરતાં હતા પોસ્ટ

  • ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી

  • અમદાવાદ અને મોડાસાની 2 શખ્સોનો સમાવેશ

  • 2 શખ્સ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું

ગુજરાતATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલાAQIS (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરનાર મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાનમોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસસેફુલ્લા કુરેશી મહમદ રફીક અને ઝીશાન અલી આસિફ અલીની ગુજરાતATSએ ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનુંATSની તપાસમાં સામે આવ્યું છે. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીંતેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી આવી છે.

ગુજરાતATSએ ધરપકડ કર્યા બાદ અમદાવાદ અને મોડાસાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગેATS DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ગત તા. 10 જૂને 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. જેમાં શરિયત યા શહાદતફરદીન 3મુજાહિદ્દ 1મુજાહિદ્દ 3 અને સેફુલ્લા મુજાહિદ્દ 313 આ 5 એકાઉન્ટ અંગે માહિત મળી હતી. આ 5 એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઈબ ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. જે અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. એટલું જ નહીંભારતીય યુવાઓને ધાર્મિક રીતે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા.