અમદાવાદ : સરકારી કચેરીઓના દરવાજે પોલીસની “હેલ્મેટ ડ્રાઇવ”, નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી...

આજથી અમદાવાદ શહેરની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ કડક અમલવારી શરૂ

  • હેલ્મેટ વગર સરકારી કચેરીમાં પ્રવેશ પર લાગ્યો પ્રતિબંધ

  • રાજ્યમાં તમામ સરકારી કચેરી બહાર કડક ચેકિંગ કરાયું

  • નિયમોનું પાલન નહીં કરનાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી

  • પોલીસની કાર્યવાહીના પગલે અન્ય લોકોમાં પણ ફફડાટ

Advertisment

રાજ્યમાં તમામ સરકારી કચેરીઓમાં આવતા લોકોને ટુ-વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છેત્યારે આજથી અમદાવાદ શહેરની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કચેરીઓમાં આવતા લોકોને ટુ-વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. આજે 11મી ફેબ્રુઆરીથી સરકારી કચેરીમાં તમામ કર્મચારી સહિતના અરજદારો માટે દ્રિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છેત્યારે અમદાવાદની તમામ સરકારી કચેરીઓના દરવાજે પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી હતી. શહેરની સોલા સિવિલ હોસ્પિટલ તેમજ ગુજરાત હાઇકોર્ટ નજીક હેલ્મેટ ડ્રાઇવ દરમ્યાન વકીલ સહિતના કર્મચારીઓને હેલ્મેટનો મેમો અને દંડ ફટકારવામાં આવ્યો હતો.

એક સપ્તાહ અગાઉ અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેર્યું હોય તેવા 600થી વધુ સરકારી કર્મચારીઓને દંડ ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેરાજ્યમાં વધતા અકસ્માતોને લઈને હેલ્મેટનો કાયદો કડક કરવામાં આવ્યો છેત્યારે DGP વિકાસ સહાયના પરિપત્ર મુજબ સરકારી કચેરીમાં આવતા તમામ સરકારી કર્મચારી તેમજ ટુ-વ્હીલર લઈને આવતા વ્યક્તિઓએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે. કોઈપણ કર્મચારી હેલ્મેટના કાયદાનું ઉલ્લંઘન કરતાં પકડાશે દંડ સહિત કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

Advertisment
Read the Next Article

અમદાવાદ : ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો,ચાર દિવસ ચાલશે કામગીરી, ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે.

New Update
  • ચંડોળા તળાવ પાસે ડિમોલિશનનો બીજો તબક્કો

  • ત્રણ હજારથી વધુ પોલીસ જવાન તૈનાત

  • 35થી વધુ જેસીબી મશીનનો ખડકલો

  • ચાર દિવસ ચાલશે ડિમોલિશનની કામગીરી

  • ડિમોલિશન પૂર્ણ થયા બાદ બાઉન્ડ્રી વોલ બનશે

Advertisment

અમદાવાદના ચંડોળા તળાવ પાસે આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે,તેમ જાણવા મળ્યું છે.

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશેતે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છેકે ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.

Advertisment