અમદાવાદ : સરકારી કચેરીઓના દરવાજે પોલીસની “હેલ્મેટ ડ્રાઇવ”, નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી...

આજથી અમદાવાદ શહેરની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ કડક અમલવારી શરૂ

  • હેલ્મેટ વગર સરકારી કચેરીમાં પ્રવેશ પર લાગ્યો પ્રતિબંધ

  • રાજ્યમાં તમામ સરકારી કચેરી બહાર કડક ચેકિંગ કરાયું

  • નિયમોનું પાલન નહીં કરનાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી

  • પોલીસની કાર્યવાહીના પગલે અન્ય લોકોમાં પણ ફફડાટ

રાજ્યમાં તમામ સરકારી કચેરીઓમાં આવતા લોકોને ટુ-વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છેત્યારે આજથી અમદાવાદ શહેરની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કચેરીઓમાં આવતા લોકોને ટુ-વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. આજે 11મી ફેબ્રુઆરીથી સરકારી કચેરીમાં તમામ કર્મચારી સહિતના અરજદારો માટે દ્રિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છેત્યારે અમદાવાદની તમામ સરકારી કચેરીઓના દરવાજે પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી હતી. શહેરની સોલા સિવિલ હોસ્પિટલ તેમજ ગુજરાત હાઇકોર્ટ નજીક હેલ્મેટ ડ્રાઇવ દરમ્યાન વકીલ સહિતના કર્મચારીઓને હેલ્મેટનો મેમો અને દંડ ફટકારવામાં આવ્યો હતો.

એક સપ્તાહ અગાઉ અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેર્યું હોય તેવા 600થી વધુ સરકારી કર્મચારીઓને દંડ ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેરાજ્યમાં વધતા અકસ્માતોને લઈને હેલ્મેટનો કાયદો કડક કરવામાં આવ્યો છેત્યારે DGP વિકાસ સહાયના પરિપત્ર મુજબ સરકારી કચેરીમાં આવતા તમામ સરકારી કર્મચારી તેમજ ટુ-વ્હીલર લઈને આવતા વ્યક્તિઓએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે. કોઈપણ કર્મચારી હેલ્મેટના કાયદાનું ઉલ્લંઘન કરતાં પકડાશે દંડ સહિત કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

Read the Next Article

અમદાવાદ : 242 પેસેન્જર સાથેનું AI-171 પ્લેન ક્રેશ થતાં 105 લોકોની જિંદગી હોમાઈ, દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું પણ નિધન

શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ક્રેશ થયું હતું.

New Update
  • અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું AI-171 પ્લેન ક્રેશ

  • મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક પ્લેન ક્રેશ થયું

  • પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન

  • 105ના મોત થયાની એર ઇન્ડિયા દ્વારા સત્તાવાર જાહેરાત

  • સિવિલ હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો

  • મુખ્યમંત્રીગૃહ રાજ્યમંત્રીએ લીધી ઇજાગ્રસ્તોની મુલાકાત

  • PM મોદીએ હેન્ડલ પર દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું

  • કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી : અમિત શાહ

શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતાજ્યારે મેડિકલની બોય્ઝ હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થયું ત્યાં પણ ઈન્ટર્ન ડોક્ટર હાજર હતા. જોકેએર ઇન્ડિયા દ્વારા આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 105 લોકોના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ માટે તા. 12મી જૂન-2025નો દિવસ બ્લેક ડે” સાબિત થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન ગેટવીક જઈ રહેલ વિમાન ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું હતું. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં IGP કમ્પાઉન્ડ નજીક 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન કોઈક ટેકનિકલ ખામી સર્જાતા ક્રેશ થયું હતું. આ ડ્રીમ લાઇનર પ્લેન અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી 1.38 કલાકે 322 કિલોમીટરની ઝડપે ટેકઓફ થયું હતું. જે 1.40 કલાકે એટલે કેમાત્ર 2 જ મિનિટમાં ક્રેશ થઈને બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતા. જેમાં 217 મુસાફરો પુખ્ત વયના હતાતો 11 બાળકો અને 2 નવજાત શિશુ હતાજ્યારે 169 ભારતીયો53 બ્રિટીશરો1 કેનેડીયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા. પ્લેન ધડાકા સાથે ક્રેશ થયા બાદ આગ ફાટી નીકળતા દૂર દૂર સુધી ધૂમાડા ગોટેગોટા જોવા મળ્યા હતા.

બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ તરફયુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી માટે NDRF, BSF સહિત NSG કમાન્ડોની પણ મદદ લેવામાં આવી હતી. આ દુર્ઘટનાના પગલે અમદાવાદ એરપોર્ટને સાંજે 5 વાગ્યા સુધી બંધ તેમજ આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકેઆ દુર્ઘટનામાં ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ બી.જે.મેડિકલની બોય્ઝ હોસ્ટેલમાં હાજર 40થી વધુ ઈન્ટર્ન ડોક્ટર સહિત 105 લોકોના મોત થયા હોવાની સત્તાવાર જાહેરાત એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલમાં અફરાતફરી મચી હતી. પ્લેનમાં જે મુસાફરો સવાર હતા તેમના સગા વહાલા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમને પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

આ તરફનાગરિકોને પણ દુર્ઘટના સ્થળથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. તો બીજી તરફમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અમદાવાદ પોલીસ કમિશ્નર પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ધારાસભ્યો અને સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબો સાથે બેઠક યોજાય હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવવા માટે રવાના થયા હતા. PM મોદીએ હેન્ડલ પર વિમાન દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છેજ્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી.