અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવનાર તત્વોની પોલીસે કરી સરભરા,આરોપીઓના ઘર પર પડ્યા હથોડા

અમદાવાદના વસ્ત્રાલમાં શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્વોની રામોલ પોલીસે ધરપકડ કરી હતી.

New Update
  • વસ્ત્રાલમાં જાહેરમાં આતંકનો મામલો

  • પોલીસે 9 આરોપીઓની કરી ધરપકડ

  • આરોપીઓની પોલીસે જાહેરમાં કરી સરભરા

  • આરોપીઓના ઘર પર ચાલ્યું સરકારનું બુલડોઝર

  • કેટલાક આરોપીઓ ગુન્હાહિત ભૂતકાળ પણ ધરાવે છે 

Advertisment

અમદાવાદના વસ્ત્રાલમાં શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્વોની રામોલ પોલીસે ધરપકડ કરી હતી. અને જાહેરમાં સરભરા કરી હતી. ત્યારબાદ આ ઘટનાના 24 કલાકમાં સરકારે મોટો નિર્ણય લેતા તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા.

અમદાવાદ વસ્ત્રાલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દહેશતનો માહોલ સર્જી દીધો હતો.અને જાહેરમાં લોકો પર હુમલો તેમજ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ આતંકની ઘટનામાં રામોલ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરીને જાહેરમાં સરભરા કરી હતી,જ્યારે 24 કલાકમાં જ સરકારે મોટો નિર્ણય લીધો છે. તમામ આરોપીઓનાં ઘર પર બુલડોઝર ફેરવવાનો આદેશ આપી દીધો છે. પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિત તમામ પોલીસ અધિકારીઓ આરોપીઓનાં ઘરે પહોંચ્યા હતા.

આ ઘટનાના આરોપીઓની ગેરકાયદેસર મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાના આરોપી રાજવીર સિંહ બિહોલાના ઘરે તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચી ગયું હતું. બુલડોઝર ફેરવતા પહેલા ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો.આ ઉપરાંત ખોખરાના ભગવાનદાસની ચાલીમાં શ્યામ કામલેના મકાન હથોડા વડે મકાન તોડી પાડવામાં આવ્યું છે.જ્યારે અલ્કેશ યાદવના ઘરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસે ધરપકડ કરેલ આરોપીઓમાં કેટલાક ગુન્હાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

 

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment