અમદાવાદ: પોલીસકર્મીએ જ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ,અઢી વર્ષ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો !

New Update
અમદાવાદ: પોલીસકર્મીએ જ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ,અઢી વર્ષ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો !

અમદાવાદમાં વધુ એક સગીરા હવસનો ભોગ બની છે. આ વખતે કોઈ સામાન્ય વ્યક્તિ નહિ પરંતુ કાયદાના રખેવાળ એટલે કે પોલીસકર્મીએ જ સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જોકે અઢી વર્ષ બાદ આરોપી સામે ગુનો નોંધી માત્ર નામની જ તપાસ હાથ ધરી હોવાનો આક્ષેપ કરાયો છે.

Advertisment W3.CSS

અમદાવાદ એક પોલીસ કર્મીએ સગીરા સાથે દુષ્કર્મ કર્યાની અઢી વર્ષ બાદ વટવા પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસ વિભાગની બાઈક ઉપર બેઠેલા પોલીસ કર્મીનું નામ અનિલ લાઘવા છે. આરોપી અનિલ નારોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. સમગ્ર ઘટનાની વિગત પર નજર કરવામાં આવે તો સગીરાની માતા પણ પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન સગીરાની માતાએ આરોપી સાથે તેમની દીકરીની સગાઈ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે જ સમયે આરોપી અને સગીરા બંને સંપર્કમાં આવ્યા હતા અને આરોપી સગીરાને સ્કૂલ ટાઈમમાં અલગ અલગ જગ્યા પર લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.સગીરાના પરિવારજનોએ સગાઇ નક્કી કરવાનું કહેતા અનિલે સગાઈ કરવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં આરોપી સગીરાના અંગત પળોના ફોટા વાયરલ કરવા અને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી સગીરાની માતાની વર્ધી ઉતારી નાખવાની ધમકી આપતો હતો.

સગીરાની માતાનું કહેવું છે કે અગાઉ નારોલ પોલીસ સ્ટેશન અને વટવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ એ અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી ન કરતા અંતે પોલીસ કમિશનર કચેરી જઈને રજૂઆત કરતા વટવા પોલીસે પોક્સો એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.