અમદાવાદ : પોલીસ કર્મચારીઓના કાંડે રક્ષાનું કવચ, રક્ષાબંધનની કરાઇ ઉજવણી

અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.

New Update
અમદાવાદ : પોલીસ કર્મચારીઓના કાંડે રક્ષાનું કવચ, રક્ષાબંધનની કરાઇ ઉજવણી

અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ખોખરા,મણિનગર,સોલા,સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસકર્મીઓને વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી સુરક્ષા અને સલામતીની પ્રાર્થના કરી હતી.

અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં અર્ચના વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ પોલીસ સ્ટેશન જઈ તમામ પોલીસ જવાનોને રાખડી બાંધીને રાક્ષબંધનનો તહેવાર ઉજવ્યો હતો. પોલીસ કર્મચારીઓ પાસેથી આ વિદ્યાર્થીનીઓએ ભેટમાં શહેર અને પરિવારની સુરક્ષા કવચ માગ્યું હતું. વિદ્યાર્થીનીઓ જણાવ્યું હતું કે આ તમામ પોલીસ જવાનોને કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ પોતાના પરિવાર ,પોતાના બાળકોની ચિંતા કર્યા વિના અમારી રક્ષા કરી છે.

ખોખરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓએ રાખડી બાંધવા આવેલી બહેનોને મિઠાઇઓથી નવાજી હતી. તેમણે તમામ વિદ્યાર્થીનીઓને વચન આપ્યું હતું કે અમે શહેર અને ખોખરા વિસ્તારના તમામ નાગરિકની રક્ષા કરીશું આ ઉપરાંત ખોખરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બની શકે તેટલા પ્રયત્નો કરીશું.

અમદાવાદના સોલ ,સેટેલાઈટ,ચાંદલોડિયા,મણિનગર,ચાંદખેડા જેવા વિવિધ વિસ્તારના પોલીસ જવાનો અને ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ જવાનોને પણ વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી હતી. આવતીકાલે રક્ષાબંધન તહેવાર હોવાથી દરેક નાગરિક પોતાના પરિવાર સાથે શાંતિથી આ તહેવાર ઉજવી શકીએ તે માટે પોલીસ જવાનો પોતાની ફરજ ઉપર હોય છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

Latest Stories