અમદાવાદ : ચોમાસામાં રસ્તાઓ બન્યાં ખખડધજ, કોંગ્રેસે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

રસ્તા બનાવવામાં મોટા પાયે થાય છે ખાયકી, સામાન્ય વરસાદમાં જ રસ્તાઓનું થયું છે ધોવાણ.

New Update
અમદાવાદ : ચોમાસામાં રસ્તાઓ બન્યાં ખખડધજ, કોંગ્રેસે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

સ્માર્ટ સીટી અમદાવાદના રસ્તાઓ સાચા અર્થમાં મોંઘેરા બની ગયાં છે. કરોડો રૂપિયાના ખર્ચથી બનેલા રસ્તાઓ ખખડધજ બની જતાં તેના રીપેરીંગ પાછળ ફરીથી કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. બિસ્માર રસ્તાઓ બાબતે કોંગ્રેસે સત્તાધીશો સામે સવાલો ઉઠાવ્યાં છે.

દર વર્ષે ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ સામાન્ય બાબત છે. કરોડો રૂપિયાના ખર્ચથી બનેલા રસ્તાઓ સામાન્ય વરસાદમાં જ બિસ્માર બની જતાં હોય છે. બિસ્માર બનેલાં રસ્તાઓના કારણે લોકો ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરતાં હોય છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો વાડજ, રાણીપ, સુભાષબ્રિજ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઇ ગયાં છે. રસ્તાઓના નિર્માણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું સ્થાનિકો જણાવી રહયાં છે.

અમદાવાદમાં રોડ રસ્તાની આ હાલત જોતા સવાલ થાય છે કે શું જનતા સુવિધાઓની હકદાર નથી, જનતા પાસેથી પુરો ટેક્સ વસુલવામાં આવે છે તો શા માટે કોન્ટ્રાક્ટર સામે પગલા નથી લેવાતા, શું નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલિ ભગત છે, કોઈ વિદેશી મહેમાન માટે ગણતરીના દિવસોમાં જ રસ્તા બની જતા હોય, રંગરોગાન થઈ જતું હોય તો પછી ઈમાનદારીથી ટેક્સ ભરતી જનતાને શા માટે ખાડાઓના કારણે હાલાકી ભોગવવી પડે છે.

રાજયમાં આમ આદમી પાર્ટીની વધી રહેલી ગતિવિધિઓ વચ્ચે કોંગ્રેસ પણ હવે આળસ મરડીને બેઠી થઇ છે. બિસ્માર રસ્તાઓના મામલે હવે કોંગ્રેસ પણ આક્રમક બની છે અને સત્તાધીશો સામે સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં નવા ભળેલા વિસ્તારમાં વિકાસ કામોના નામે વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે અને દર ચોમાસામાં એકલા અમદાવાદમાં સરેરાશ 75 કરતા વધુ ભુવાઓ પડે છે તેવો આક્ષેપ કોંગી નેતા અર્જુન મોઢવાડીયાએ લગાવ્યો છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

Latest Stories