અમદાવાદ : પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધની આશંકામાં પુત્રએ જ કરી પિતાની હત્યા...

ધોળકા તાલુકાના બેગવા ગામમાં પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધની આશંકામાં પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે,

New Update
અમદાવાદ : પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધની આશંકામાં પુત્રએ જ કરી પિતાની હત્યા...

અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના બેગવા ગામમાં પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધની આશંકામાં પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ જિલ્લાના ધોળકામાં એક વ્યક્તિની હત્યાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસનો ખુલાસો થયો છે.

જેમાં થોડા દિવસ પહેલા એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું, અને તેની જાણ મૃતકના પત્નીએ પોલીસને કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને પણ સમગ્ર હકીકત એક ફિલ્મની સ્ટોરી જેવી લાગી હતી. જોકે, તપાસમાં આ અકસ્માત નહીં પણ હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતકની પત્ની જસીબેન પગી કોઠ પોલીસ સ્ટેશનમાં પતિ ભરત પગીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મૃત્યુ થયું હોવાની જાણ કરે છે. સમગ્ર મામલે પોલીસ પણ તપાસ કરતા હકીકત કઈક અલગ જ સામે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભરતભાઈ પગીનું મોત અકસ્માતથી નહીં પણ તેઓની હત્યા કરવામાં આવી છે. પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે, ભરતભાઈ અને તેનો પુત્ર મહેન્દ્ર વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.

ગત તા. 22 ફેબ્રુઆરીના દિવસે પણ પિતા પુત્ર વચ્ચે ઝઘડો, બોલાચાલી અને મારામારી થઈ હતી. જેમાં પુત્ર મહેન્દ્રએ પિતા ભરતભાઈને માથાના ભાગે માર મારતા તેનું મોત નિપજ્યું હતું. પિતા પુત્ર વચ્ચેના ઝગડાનું કારણ એવું હતું કે પિતા ભરતભાઈને તેના પુત્રની જ પત્ની એટલે પુત્રવધુ સાથે અનૈતિક સબંધો હતા. પત્ની અને પિતા વચ્ચેના સંબંધોને લઇને પિતા પુત્ર વચ્ચે અનેક વખત ઝધડાઓ થતા હતા, અને ગામમાં પણ લોકો વાતો કરતા હતા. જેના કારણે પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો, અને લાકડાનો ફટકો મારી પિતાની હત્યા નિપજવા હતી. પિતાની હત્યા બાદ પોલીસને શંકા જાય નહીં તે માટે હત્યાને અકસ્માતમાં ખપાવી દીધી હતી. સમગ્ર મામલાની જાણ મૃતક ભરતભાઈની પત્નીને પણ હતી, પરંતુ તેણે પણ પોલીસને ગેરમાર્ગે દોરી હતી. હાલ તો પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

અમદાવાદ 148મી રથયાત્રામાં હાથી ભડકતા મચી હતી અફરાતફરી,ઉશ્કેરાયેલા ગજરાજની મદદે આવ્યું વનતારા

વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ સ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી

New Update
vantara

અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી.આ ટીમમાં બે વન્યજીવ પશુ ચિકિત્સકોછ વરિષ્ઠ મહાવતોતાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતોજે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા.

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન આ ઘટના ત્યારે બની હતી,જ્યારે શોભાયાત્રા દરમિયાન મોટેથી વાગતા સંગીતના અને ભીડના અવાજથી ગભરાયેલો એક નર હાથી અચાનક હરોળ તોડીને આગળ ધસી ગયો હતો. પાછળ પાછળ આવી રહેલા બે હાથીઓ પણ ગભરાઈ ગયા અને દોડી ગયા હતાજેના કારણે શોભાયાત્રામાં ખલેલ પહોંચી અને થોડા સમય માટે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરીવર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું.

"રથયાત્રા દરમિયાન હાથીઓની દોડભાગની ઘટના બાદ તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કર્યો હતો.તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરી હતી," તેમ ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડો. કે. રમેશ (આઇએફએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિર મેનેજમેન્ટે વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પ્રશંસા કરી હતી. "વનતારાએ આ હાથીઓને તાત્કાલિક જરૂરી તબીબી સહાય અને પુનર્વસન મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધતા દર્શાવી હતી," તેમ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું.

વનતારા વિશ્વનું સૌથી મોટું એલિફન્ટ કેર સેન્ટર ધરાવે છેજે 998 એકરમાં ફેલાયેલું છેતેમાં 100 એકરથી વધુ જગ્યામાં સમૃદ્ધમાનવસર્જિત જંગલનો સમાવેશ થાય છે. આ સેન્ટર સર્કસભીખ માંગવાપર્યટન અને લાકડા કાપવામાં અગાઉ ઉપયોગમાં લેવાયેલા 260 બચાવેલા હાથીઓને આજીવન સંભાળ પૂરી પાડે છે. આ સેન્ટર વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ પણ ધરાવે છે અને તેણે મહત્વની અનેક પશુચિકિત્સાને લગતી નવીનતાઓનો પાયો નાખ્યો છેજેમાં નર હાથી પર પ્રથમ મોતિયાની શસ્ત્રક્રિયા અને હાથીઓ માટે વિશ્વના પ્રથમ હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરનો સમાવેશ થાય છે.

તેની સુવિધાઓમાં હાઈડ્રોથેરાપી પૂલકુદરતી તળાવોકાદવના ઢગલાપાણીના ફુવારારેતીના ઢગલા અને સાંકળ-મુક્ત મસ્થ એન્ક્લોઝરનો સમાવેશ થાય છે .જે બચાવાયેલા હાથીઓમાં વ્યાપક શારીરિક અને માનસિક સ્થિતિની પુનઃપ્રાપ્તિ કરાવવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. વનતારાના એલિફન્ટ કેર સેન્ટરમાં 650થી વધુ પ્રોફેશનલ્સ કાર્યરત છે.જેમાં પશુચિકિત્સકોજીવ વિજ્ઞાનીઓ અને પ્રશિક્ષિત સંભાળ રાખનારાઓનો સમાવેશ થાય છે. જેઓ પ્રાણીઓને સકારાત્મક મજબૂતીકરણ પર આધારિત નૈતિકકરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડે છે.