અમદાવાદ : અજીત મીલ ચાર રસ્તા પાસે જૂની અદાવતે તલવારો ઉછળી, ઘટના CCTVમાં કેદ..!

અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસમાં 4 મોટી બબાલની ઘટના સામે આવી છે. જેમાં રખિયાલ વિસ્તારમાં તલવારો સાથે ટોળું ધસી આવ્યાના દ્રશ્ય સામે આવ્યા.....

New Update
  • શહેરના વિવિધ વિસ્તારમાં તોફાની તત્વોનો આતંક

  • તલવાર અને છરીઓ વડે આતંક મચાવતા ચકચાર

  • અજીત મીલ ચાર રસ્તા પાસે જૂની અદાવતે ધમાલ

  • ફરિયાદીને માર મારવાના ઈરાદે આરોપીઓ પહોચ્યા

  • પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

Advertisment W3.CSS

અમદાવાદ શહેરમાં ગુનાખોરીએ ફરીથી માથુ ઉચક્યુ હોય તેમ લાગી રહ્યું છે. રખિયાલ વિસ્તારમાં અજીત મીલ ચાર રસ્તા પાસે અજીત રેસીડેન્સીમાં જૂની અદાવતે ટોળાએ તલવારો સાથે સોસાયટીમાં હુમલો કર્યો હતો.

 અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસમાં 4 મોટી બબાલની ઘટના સામે આવી છે. જેમાં રખિયાલ વિસ્તારમાં તલવારો સાથે ટોળું ધસી આવ્યાના દ્રશ્ય સામે આવ્યા છેજ્યારે જુહાપુરામાં 2 દિવસ પહેલા મંડલી ગેંગ અને બક્ષી ગેંગ વચ્ચે તલવારો ઉછળી હોવાની ઘટના બની હતી.

આ ઘટના હજુ શાંત નહોતી થઈ ત્યાં ગત મોડીરાતે ફરીથી તલવારો ઉછળી હતી. રખિયાલ વિસ્તારમાં અજીત મીલ ચાર રસ્તા પાસે અજીત રેસીડેન્સીમાં 10થી વધુ લોકોના ટોળાએ તલવારો સાથે સોસાયટીમાં હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 

જેમાં એક કા તીન કૌભાંડ તેમજ ફાયરીંગ જેવા અનેક કેસોમાં સંડોવાયેલા કુખ્યાત આરોપીઓએ તેની ગેંગ સાથે મળીને 2 લોકો પર તલવાર વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સહિત વાઇરલ વિડિયો પણ સામે આવ્યા છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપી તેમજ ફરિયાદ કરનાર સુંદરમનગર બાપુનગરમાં બાજુ-બાજુમાં રહે છેઅને જૂના ઝઘડા ચાલતા હોવાથી ગત તા. 14 એપ્રિલ-2025ની રાત્રે કોઈ સામાજિક પ્રસંગે રખિયાલમાં ભેગા થયા હતા.

જૂની અદાવત અંગે મનદુઃખ રાખી ફરિયાદીના ઘરે અજિત રેસીડેન્સી રખિયાલ ખાતે આરોપીઓ ફરિયાદીને માર મારવાના ઈરાદે હાથમાં તલવારો તેમજ છરા લઈને આવી પહોંચ્યા હતા. તો બીજી તરફઆ મામલે અમદાવાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment