Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દેશની 9મી ફોરેન્સિક સાયન્સ કોલેજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરાયું

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજનો અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

X

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામમાં નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજના નવા વિભાગ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટી વિભાગનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજનો અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશની 9મી ફોરેન્સિક સાયન્સ કોલેજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોલેજમાં વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટીનું શિક્ષણ મેળવી શકે છે. આ યુનિવર્સિટી આવનારા દિવસોમાં વટવૃક્ષ સમાન બનશે, જ્યાં રિસર્ચ, ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક કામો થશે, જેની સમગ્ર વિશ્વમાં નોંધ પણ લેવાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, જેતલપુર ગામ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, જેતલપુર ગામ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું ગામ છે. અહીં અનેકવાર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. આ ગામ સાથે મારી અનેક યાદો જોડાયેલી છે. આ સંપ્રદાય દ્વારા અત્યારસુધી જગતના કલ્યાણ અર્થે અનેકવિધ કાર્યો કર્યાં છે. જેતલપુરને પણ શિક્ષાનું ધામ બનાવ્યું છે, ત્યારે અહીં ફોરેન્સિક સાયન્સ અભ્યાસક્રમ શરૂ કરી આધુનિક શિક્ષણ આપવાની દિશામાં કામ શરૂ કરાયું છે, ત્યારે આ ઇન્સ્ટિટ્યૂટ નવી શિક્ષણનીતિને અનુરૂપ હશે, તેવું પણ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉમેર્યું હતું. આ પ્રસંગે મહંત શાસ્ત્રી આત્મપ્રકાશદાસ સ્વામી, મહંત શાસ્ત્રી પુરુષોત્તમપ્રકાશદાસ સ્વામી, દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ, NFSUના વાઈસ ચાન્સેલર ડો. જે.એમ.વ્યાસ, કોલેજના પ્રિન્સિપાલ, સહકારી અગ્રણી બિપીન પટેલ, રાજકીય આગેવાન હર્ષદગીરી ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં હરિભક્તો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story