અમદાવાદ : ગોતાવાસીઓ ફરી થયા હેરાન પરેશાન, 6 મહિના પહેલા જ બનેલો નવો રોડ ફરી બેસી ગયો..!

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ વંદે માતરમ ચાર રસ્તા પાસે નવો બનેલો રોડ એકાએક બેસી ગયો છે,

New Update
અમદાવાદ : ગોતાવાસીઓ ફરી થયા હેરાન પરેશાન, 6 મહિના પહેલા જ બનેલો નવો રોડ ફરી બેસી ગયો..!

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ વંદે માતરમ ચાર રસ્તા પાસે નવો બનેલો રોડ એકાએક બેસી ગયો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

અમદાવાદ શહેરનો ગોતા વંદે માતરમ રોડ જેને પોસ વિસ્તાર સહિત ભરચક રોડ કહી શકાય છે. રોજના હજારો વાહનો અહિથી પસાર થતાં હોય છે, ત્યારે 6 મહિના પહેલા જ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલ નવા રોડની એક સાઈડ બેસી ગઈ છે. 4 દિવસથી આ રોડ બેસી ગયો છે. પરતું તંત્ર માત્ર સાવધાનની પટ્ટીઓ લગાવી સંતોષ માને છે. એવું લાગે છે કે, જાણે કોર્પોરેશનન અધિકારીઓને ગોતા વંદે માતરમ વિસ્તારમાં કામ કરવામાં કોઈ રસ નથી. કારણ કે, પહેલા દોઢથી બે વર્ષ સુધી રોડ એક તરફ ખોદી કાઢ્યો હતો, ત્યારે પણ સ્થાનિકોને ત્યાં ઘણી હાલાકી વેઠવાનો વારો આવતો હતો, જ્યારે હવે નવો રોડ માત્ર 6 મહિનામાં જ બેસી ગયો છે. જેના કારણે ભારે ટ્રાફિક જામ થવાની સમસ્યા પણ સર્જાય રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, હજી સુધી કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટર કોઈ અહિયાં જોવા નથી આવ્યા કે, નથી કામ ચાલુ થયું, ત્યારે કોર્પોરેશન અને કોર્પોરેટરો જાણે ઘોર નિદ્રામાં હોય તેમ લોકોએ આક્ષેપ કર્યો હતો.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.