Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પુત્રએ જ માતા – પિતાને માર્યો માર, પિતાનું માથું ફોડી નાંખ્યુ

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં જમવાનું બનાવવા બાબતે થયેલી માથાકુટમાં પુત્રએ પહેલાં પિતાને પથ્થર મારીને લોહીલુહાણ કર્યો હતા

અમદાવાદ : પુત્રએ જ માતા – પિતાને માર્યો માર, પિતાનું માથું ફોડી નાંખ્યુ
X

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં જમવાનું બનાવવા બાબતે થયેલી માથાકુટમાં પુત્રએ પહેલાં પિતાને પથ્થર મારીને લોહીલુહાણ કર્યો હતા,ત્યાર બાદ માતા વચ્ચે પડતા તેને પણ ફટકારી હતી. જેથી પિતાને લોહીલુહાણ હાલતમાં સિવિલ ખસેડવા પડ્યા હતા. આ મામલે પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં નરેન્દ્રકુમાર કેશવલાલ સથવારા પરિવાર સાથે રહે છે અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. 19મીના રોજ 11 વાગ્યે નરેન્દ્ર ભાઈ પોતાના ઘરે હાજર હતા, ત્યારે રાત્રે 9 વાગ્યે દિકરા ધ્રુવનેશ નો ફોન આવ્યો હતો અને જમવાનું બન્યું છે કે નહીં, તેમ પૂછી ફોન કાપી દીધો હતો. અડધા કલાક પછી ધ્રુવનેશ ઘરે આવ્યો હતો અને જમવાનું બન્યું છે કે નહીં, તે અંગે પિતાને પૂછવા લાગ્યો હતો. જેથી નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, તારો હમણાં જ ફોન આવ્યો હતો અને જમવાનું બનતા થોડી વાર લાગશે. આટલું કહેતા દિકરો ઉશ્કેરાઇ ગયો હતો અને પિતાને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી પિતાએ ધ્રુવનેશને ઝઘડો નહીં કરવા અને શાંતિથી વાત કરવા જણાવ્યું હતું. પરંતુ દીકરો ગુસ્સે થઇ ગયો હતો અને ઘરની બહાર જઈ એક પથ્થર લઇ આવ્યો હતો અને માથામાં મારી દીધો હતો. જેથી કપાડ માં લોહી નીકળવા લાગ્યું હતું. આમ છતાં પુત્ર પિતાને મારવાની ધમકી આપી રહ્યો હતો. જેથી પિતાએ બુમાબુમ કરતા આસપાસના લોકો અને પત્ની આવી ગયા હતા. માતા પુત્રને સમજાવી તેના પણ પુત્ર એ માર માર્યો હતો. આ દરમિયાન લોકોએ વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા, ત્યારે પુત્ર ત્યાંથી પલાયન થઇ ગયો હતો. બીજી તરફ, લોહીલુહાણ હાલતમાં નરેન્દ્રકુમાર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ મામલે બાપુનગર પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. જ્યાં નરેન્દ્રકુમાર દિકરા ધ્રુવનેશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Story