Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પતિથી કંટાળીને રિવરફ્રન્ટ ખાતે આપઘાત કરવા આવેલી પરિણીતાને 2 જાગૃત યુવાનોએ બચાવી...

શહેરના જમાલપુર વિસ્તારના 2 જાગૃત યુવાનોએ જે કામ કરી બતાવ્યુ છે, તેના માટે તમામ શહેરીજનો તેમને શાબાશી આપી રહ્યા છે.

X

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારના 2 જાગૃત યુવાનોએ જે કામ કરી બતાવ્યુ છે, તેના માટે તમામ શહેરીજનો તેમને શાબાશી આપી રહ્યા છે. આ બન્ને યુવાનોએ રિવરફ્રન્ટ ખાતે મોત વહાલું કરે તે પહેલાં જ પરિણીતાને રોકી તેને બચાવી લીધી છે.

અમદાવાદમાં વધુ એક આઇશા આપધાત કરવા જઇ રહી હતી, તે દરમિયાન 2 યુવાનો દ્વારા તે યુવતીને સમજાવીને તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. વધુમાં વાત કરીએ તો, વધુ એક આઈશા ગત શુક્રવારે બપોરે રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા દોડી ગઈ હતી, ત્યારે ત્યાં નજીકમાં 2 યુવાનો મોઝિફ તિરમિજ્જી અને અમાન કકુવાળાએ તેને બચાવી લીધી હતી. મોઝિફ તિરમિજ્જીએ જણાવ્યુ હતું કે, અમે જાગૃત નાગરિક તરીકે અમારી ફરજ અદા કરી છે. એક પરિચિત વ્યક્તિએ આ અંગેની જાણ કરી હતી, ત્યારે અમે એક ક્ષણની પણ રાહ જોયા વગર કોઈનો જીવ બચે તે માટે સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે, રિવરફ્રન્ટ ખાતે આપઘાત કરવા આવેલી યુવતી એ સમયે ખૂબ રડી રહી હતી, તેની આંખોમાં ચોધાર આંસુ હતાં.

Next Story