અમદાવાદ : ACBના સકંજામાં આવ્યા 2 સરકારી બાબુઓ, ગાંધીનગરની જમીનના માપ-અભિપ્રાય માટે માંગી હતી લાંચ

વર્ગ-1ના ટાઉન પ્લાનર અધિકારી એન.એન.મહેતા અને વર્ગ-3ના પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા બન્ને જાણ 15 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

New Update
અમદાવાદ : ACBના સકંજામાં આવ્યા 2 સરકારી બાબુઓ, ગાંધીનગરની જમીનના માપ-અભિપ્રાય માટે માંગી હતી લાંચ

અમદાવાદમાં ફરી એક વખત એસીબીની ટીમે સરકારી બાબુઓને પકડવામાં સફળ રહી છે. લાખો રૂપિયાનો પગાર ધરાવતા સરકારી બાબુઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. એન્ટી કરપ્સ બ્યુરોની ગિરફતમાં રહેલ વર્ગ-1ના ટાઉન પ્લાનર અધિકારી એન.એન.મહેતા અને વર્ગ-3ના પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા બન્ને જાણ 15 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ગાંધીનગર જીલ્લામાં આવેલ શેરથા ગામની એક જમીન માલિક બે ફાઇનલ પ્લોટના માપ અને અભિપ્રાય માટે ફરિયાદીએ ગુડામાં અરજી કરી હતી. આ બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગાંધીનગરના નગર રચના અધિકારીની કચેરીના ટાઉન પ્લાનર એન.એન.મહેતા તપાસ કરતા હતા. તે દરમિયાન પ્લોટના માલિક પાસે વર્ગ-1ના ટાઉન પ્લાનર એન.એન.મહેતાએ પ્લોટના અવેજ પેટે કામ પૂરું કરવા 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી બન્ને અધિકારી લાંચની રકમ સાથે પકડી લેવમાં આવ્યા છે. પરતું ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ દ્વારા કેટલા લોકો પાસેથી પૈસા પડાવાયા છે, જે દિશામાં હાલ એસીબીએ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

અમદાવાદ : અલકાયદા સાથે જોડાયેલા 4 શખ્સોની ગુજરાત ATSએ ધરપકડ કરી, AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

New Update
  • ATSએ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ

  • AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

  • જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પણ કરતાં હતા પોસ્ટ

  • ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી

  • અમદાવાદ અને મોડાસાની 2 શખ્સોનો સમાવેશ

  • 2 શખ્સ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું

ગુજરાતATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલાAQIS (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરનાર મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાનમોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસસેફુલ્લા કુરેશી મહમદ રફીક અને ઝીશાન અલી આસિફ અલીની ગુજરાતATSએ ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનુંATSની તપાસમાં સામે આવ્યું છે. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીંતેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી આવી છે.

ગુજરાતATSએ ધરપકડ કર્યા બાદ અમદાવાદ અને મોડાસાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગેATS DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ગત તા. 10 જૂને 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. જેમાં શરિયત યા શહાદતફરદીન 3મુજાહિદ્દ 1મુજાહિદ્દ 3 અને સેફુલ્લા મુજાહિદ્દ 313 આ 5 એકાઉન્ટ અંગે માહિત મળી હતી. આ 5 એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઈબ ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. જે અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. એટલું જ નહીંભારતીય યુવાઓને ધાર્મિક રીતે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા.