અમદાવાદ : કલેકટરના આદેશનું ઉલ્લંઘન, લોકોની લાગી કતાર પણ કચેરીને તાળા

અમદાવાદના કલેકટર સંદિપ સાંગલેએ કોરોનાની સહાય મેળવવા માંગતા અરજદારોની સુવિધા માટે રવિવારે કચેરી ખુલ્લી રાખવા આદેશ કર્યો હતો.

New Update
અમદાવાદ : કલેકટરના આદેશનું ઉલ્લંઘન, લોકોની લાગી કતાર પણ કચેરીને તાળા

અમદાવાદના કલેકટર સંદિપ સાંગલેએ કોરોનાની સહાય મેળવવા માંગતા અરજદારોની સુવિધા માટે રવિવારે કચેરી ખુલ્લી રાખવા આદેશ કર્યો હતો. કનેકટ ગુજરાતની ટીમે કલેકટર કચેરી ખાતે તપાસ કરતાં કચેરીની બહાર અરજદારોની લાઇન લાગી હતી પણ કચેરી બંધ હતી.....

રાજયમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ રાજય સરકારે ફોર્મ ભરાવવાની કામગીરીને વેગવંતી બનાવી છે. કોરોનાથી મૃત્યુના સરકારી આંકડાની સરખામણીએ વધારે ફોર્મનો ઉપાડ થઇ રહયો છે. ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો માટે મૃતકોના પરિવારજનો દોડધામ કરી રહયાં છે તેવામાં અરજદારોના હિતમાં અમદાવાદના કલેકટર સંદિપ સાગલેએ એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ કલેકટર કચેરીમાં કોરોનાની સહાય સાથે સંલગ્ન તમામ વિભાગોની કચેરી શનિવાર અને રવિવારના રોજ કાર્યરત રાખવા આદેશ આપ્યો હતો. કલેકટર સંદિપ સાગલેના આદેશનું કર્મચારીઓએ કેટલું પાલન કર્યું.. આવો જોઇએ...

કનેકટ ગુજરાતના રીપોર્ટર અમદાવાદ કલેકટર કચેરી ખાતે હાજર હતાં. કલેકટર કચેરીની બહાર અરજદારોની કતાર લાગી હતી. કનેકટ ગુજરાતની ટીમનો અહેવાલ પ્રસારિત થતાંની સાથે તંત્રમાં દોડધામ મચી હતી. એક કર્મચારી તાબડતોડ કલેકટર કચેરી ખાતે આવ્યો હતો અને કચેરી ખોલી હતી. હવે જોઇએ અરજદારો શું કહી રહયાં છે.

અમારી ટીમે કલેકટર કચેરી ખાતે આવેલાં કર્મચારી સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તે આ વિભાગમાં કામ કરતો નથી પણ તેના અધિકારીનો ફોન આવતાં તે કચેરીમાં હાજર થયો છે. અરજદારોને હાલાકી ન પડે તે માટે આ કર્મચારીએ કામગીરી શરૂ કરી દીધી હતી જેનાથી અરજદારોને થોડી રાહત થઇ હતી.

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise