Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો, કહ્યું જેહાદીઓ ધમકી આપે તો આ નંબર પર કોલ કરો

નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ કેટલાક જેહાદી માનસિકતા ધરાવતા લોકો ભય ફેલાવી રહ્યા છે અને અલગ અલગ થિયરી પર હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો છે

X

નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ કેટલાક જેહાદી માનસિકતા ધરાવતા લોકો ભય ફેલાવી રહ્યા છે અને અલગ અલગ થિયરી પર હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળે 24 કલાકના હેલ્પલાઇનની શરૂઆત કરી છે અને રાજ્યભરમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે

દેશભરમાં અત્યારે ઉદયપુર હત્યાકાંડ અને નાસિકમાં થયેલી હત્યા બાદ ભયનો માહોલ છે.નૂપુર શર્માને સમર્થન આપવાના મામલે અનેક લોકોને ધમકી મળી રહી છે અને આતંકનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ 2 થી 3 ફરિયાદો સામે આવી છે કે જ્યા જેહાદી માનસિકતા ધરાવતા લોકો ધમકી આપી છે તેને લઇ ગુજરાત પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે 24 કલાક હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે જેને ધમકી મળી હોય તે જો આ નંબર પર કોલ કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમને કાયદાકીય મદદ તો કરશે સાથે પરિવારની સુરક્ષાની પણ ખાતરી આપશે. વિશ્વ હિન્દુ પરિષદનું કેહવું છે કે દેશમાં હિંદુઓમાં ભય ઉભો કરવામાં આવી રહ્યો છે અને આ દેશ સંવિધાનથી ચાલે છે નહિ કે તાલિબાની શરયતથી વીએચપી અને બજરંગ દળ મક્કમતાથી આવા જેહાદી લોકોનો સામનો કરશે. આ હેલ્પલાઇન નંબર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્ર પ્રાંત માટે જાહેર કરવામાં આવ્યા છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉત્તર ગુજરાત પ્રાંત માટે હેલ્પલાઇન નંબર 8735873595,સૌરાષ્ટ્ર પ્રાંત માટે 9879014841 અને દક્ષિણ ગુજરાત પ્રાંત માટે 9426363324 નંબર જાહેર કરવામાં આવ્યો છે.

Next Story