અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો, કહ્યું જેહાદીઓ ધમકી આપે તો આ નંબર પર કોલ કરો

નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ કેટલાક જેહાદી માનસિકતા ધરાવતા લોકો ભય ફેલાવી રહ્યા છે અને અલગ અલગ થિયરી પર હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો છે

New Update
અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો, કહ્યું જેહાદીઓ ધમકી આપે તો આ નંબર પર કોલ કરો

નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ કેટલાક જેહાદી માનસિકતા ધરાવતા લોકો ભય ફેલાવી રહ્યા છે અને અલગ અલગ થિયરી પર હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળે 24 કલાકના હેલ્પલાઇનની શરૂઆત કરી છે અને રાજ્યભરમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે

દેશભરમાં અત્યારે ઉદયપુર હત્યાકાંડ અને નાસિકમાં થયેલી હત્યા બાદ ભયનો માહોલ છે.નૂપુર શર્માને સમર્થન આપવાના મામલે અનેક લોકોને ધમકી મળી રહી છે અને આતંકનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ 2 થી 3 ફરિયાદો સામે આવી છે કે જ્યા જેહાદી માનસિકતા ધરાવતા લોકો ધમકી આપી છે તેને લઇ ગુજરાત પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે 24 કલાક હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે જેને ધમકી મળી હોય તે જો આ નંબર પર કોલ કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમને કાયદાકીય મદદ તો કરશે સાથે પરિવારની સુરક્ષાની પણ ખાતરી આપશે. વિશ્વ હિન્દુ પરિષદનું કેહવું છે કે દેશમાં હિંદુઓમાં ભય ઉભો કરવામાં આવી રહ્યો છે અને આ દેશ સંવિધાનથી ચાલે છે નહિ કે તાલિબાની શરયતથી વીએચપી અને બજરંગ દળ મક્કમતાથી આવા જેહાદી લોકોનો સામનો કરશે. આ હેલ્પલાઇન નંબર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્ર પ્રાંત માટે જાહેર કરવામાં આવ્યા છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉત્તર ગુજરાત પ્રાંત માટે હેલ્પલાઇન નંબર 8735873595,સૌરાષ્ટ્ર પ્રાંત માટે 9879014841 અને દક્ષિણ ગુજરાત પ્રાંત માટે 9426363324 નંબર જાહેર કરવામાં આવ્યો છે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.

Latest Stories