Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે 111 સ્કૂલમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું...

આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે,

X

આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે આ ચૂંટણી દરમિયાન મહત્તમ મતદાન થાય તેમજ સમાજના દરેક વર્ગના નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે શહેરની 111 શાળાઓમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું.

અમદાવાદની ઝેવિયર્સ સ્કૂલ લોયલા ખાતે અમદાવાદ જિલ્લાના નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ તથા શહેરના શિક્ષણાધિકારી આર.એમ.ચૌધરીની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચીને ગુજરાતના નકશાની કલાકૃતિ તથા Ready For Vote, Avsar જેવી કલાકૃતિઓ રચવામાં આવી હતી. આ ઉપરાંત હાજર વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફ મિત્રો મતદાન કરવા તથા મહત્તમ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના નિવાસી અધિક કલેકટર સુધીર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરેરાશ 65%થી 70% જેટલું મતદાન થાય છે. એટલે કે, અંદાજે 30% જેટલા લોકો હાલ પણ મતદાનની પ્રક્રિયાથી અળગા રહે છે. મજબૂત લોકશાહી ત્યારે જ કહેવાય કે, જ્યારે મહત્તમ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. જે અંતર્ગત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર પી. ભારતી તથા જિલ્લા કલેકટર ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં અવસર નામનું કેમ્પઈન ચાલી રહ્યું છે, ત્ત્યરે અભિયાનના ભાગરૂપે અમદાવાદ શહેરની 111 શાળામાં આ મતદાન જાગૃતિનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. તો સાંજના સમયે પણ સ્કૂલમાં મતદાન જાગૃતિના કાર્યમાં મોબાઈલની ફ્લેશ લાઈટથી ગુજરાતનો નકશો બનાવી લોકોને આકર્ષવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ મારફતે તેમના વાલીઓને સંદેશો પહોંચાડવાનો એક અનોખો પ્રયાસ થયો છે કે, તમામ વાલીઓ અચૂક મતદાન કરવા જાય અને આ બાળકો પણ આવતીકાલના મતદારો છે, જેથી તેઓ પણ ભવિષ્યમાં મતાધિકારનો ઉપયોગ કરે જેને લઈને આ સમગ્ર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story