અંકલેશ્વર:GIDCમાં આવેલ તાજ રેસીડન્સી પરિવાર દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણી, આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજે અંતિમ દિવસ છે ત્યારે ગતરોજ આઠમના પર્વની ઠેર ઠેર ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

New Update
અંકલેશ્વર:GIDCમાં આવેલ તાજ રેસીડન્સી પરિવાર દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણી, આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજે અંતિમ દિવસ છે ત્યારે ગતરોજ આઠમના પર્વની ઠેર ઠેર ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોલ્ડન ચોકડી નજીક આવેલ તાજ રેસીડન્સીમાં આઠમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીની આરતી ઉતારવામાં આવી હતી અને સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બાદ સોસાયટીના સભ્યોએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી. આ પ્રસંગે તાજ સોસાયટીના આગેવાનો, સભ્યો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories