ભરૂચ : હૈયા હચમચાવતા રાજકોટ અગ્નિકાંડના મૃતકોને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાય...

હૈયા હચમચાવતા રાજકોટ અગ્નિકાંડના તમામ મૃતકોને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

New Update
ભરૂચ : હૈયા હચમચાવતા રાજકોટ અગ્નિકાંડના મૃતકોને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાય...

હૈયા હચમચાવતા રાજકોટ અગ્નિકાંડના તમામ મૃતકોને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના દિવંગત આત્માઓને ભરૂચના લોકો અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે હાથમાં બેનર અને મીણબત્તી પ્રગટાવી મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામઠી સહિત અન્ય આગેવાનો અને પ્રજાજનોએ એકત્રિત થઈ રાજકોટ ગેમઝોનના અગ્નિ તાંડવના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. મૃતકોના આત્માની શાંતિ માટે તેમજ તેઓના પરિવારજનોને આ વ્રજઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ હોનારતના જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવા સાથે આ રીતે મંજૂરી વિના ચાલતા ફન વલ્ડ, ગેમઝોનના સંચાલકો સામે પણ કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદ કરી હતી.

Latest Stories