Connect Gujarat
અમદાવાદ 

ગાંધીનગર: ધોરણ 10 બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થીને સાયન્સના B-ગ્રુપમાં પ્રવેશ લેવાની છૂટછાટ આપતો નિર્ણય !

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ જગતને લઈને મોટા નિર્ણયનું આજે એલાન કર્યું હતું હવેથી ધોરણ 10માં બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવશે નોંધનીય છે

X

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ જગતને લઈને મોટા નિર્ણયનું આજે એલાન કર્યું હતું હવેથી ધોરણ 10માં બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવશે નોંધનીય છે કે ગુજરાતમાં વિજ્ઞાનપ્રવાહમાં B ગ્રુપમાં પ્રવેશ લેવા માટે જો બેઝિક ગણિત રાખ્યું હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવામાં આવતો હતો

શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ-10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવા અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 ગણિત વિષયના પ્રશ્નપત્રનું પરિરૂપ ગુણભાર, બ્લ્યુ પ્રિન્ટ અને નમુનાનું પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું. જ્યારે રાજ્યના શિક્ષણ વિભાગે આજે એક મોટો નિર્ણય કરીને ધો.10માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને પણ બી-ગ્રુપના વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતમાં આ વર્ષે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. જેના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં મોટાપાયે ફેરકાર કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. જેમા અગાઉ જે વિદ્યાર્થી ધોરણ 10માં ગણિત બેઝિક રાખે છે તે ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકતો નથી. પરંતુ નવા ફેરફાર બાદ હવે જે વિદ્યાર્થી ધોરણ 10માં ગણિત બેઝિક રાખશે તે ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં B ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે. પરંતુ A અથવા AB ગ્રુપમાં પ્રવેશ નહીં મળે.

Next Story