અમદાવાદ: ગૃહ રાજ્ય પ્રધાન સંઘવીએ ATSની લીધી મુલાકાત; કહ્યું- ગુજરાત એટીએસ સારું કાર્ય કરી રહી છે

DGP, ATS IG સહિતના અધિકારીઓ હાજર રહ્યા.

New Update
અમદાવાદ: ગૃહ રાજ્ય પ્રધાન સંઘવીએ ATSની લીધી મુલાકાત; કહ્યું- ગુજરાત એટીએસ સારું કાર્ય કરી રહી છે

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ATSની મુલાકાત લીધી હતી. ગૃહરાજ્ય પ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવી ATSની ઓફિસે આ પ્રથમ મુલાકાત હતી.

રાજ્યના નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળના પ્રધાનોએ ચાર્જ સાંભળી લીધો છે. હવે દરેક પ્રધાનોએ પોત પોતાના વિભાગમાં કામો શરૂ કરી દીધા છે અને પોતાના વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી પેટા વિભાગો અને વિવિધ સરકારી એકમની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ATSની મુલાકાત લીધી હતી.

ગૃહરાજ્ય પ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવી ATSની ઓફિસે આ પ્રથમ મુલાકાત હતી. મુલાકાત સમયે રાજ્યના DGP, ATS IG સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્ય પ્રધાન ATSના હથિયારો અને વાહનો સહિતની બાબતો અંગે માહિતી મેળવી હતી. આ પહેલા રવિવારે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની મુલાકાત લીધી હતી. 19 સપ્ટેમ્બરને રવિવારના દિવસે પણ તેઓ ગૃહ વિભાગની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.

એટીએસ મુખ્યાલયની મુલાકાત બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત એટીએસ સારું કાર્ય કરી રહી છે. મેં અહીં આજે મુલાકાત કરી છે અને અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે. સાથે જ ગુજરાત એટીએસે તાજેતરમાં એક મોસ્ટ વોન્ટેડ આરોપી અશરફ નાગોરીની ધરપકડ કરી તો સાથે કોસ્ટગાડ સાથે સયુંકત ઓપરેશન કરી 250 કરોડનું ડ્રગ ઝડપી પાડ્યું હતું તે બદલ અભિનંદન આપ્યા હતા.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાને એક મહિનો પૂર્ણ,દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી જાહેર કરી છે. આ રિપોર્ટ મુજબ, ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા

New Update
amdavad plane crash

અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી જાહેર કરી છે. આ રિપોર્ટ મુજબટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા. જે વિમાન ક્રેશનું મોટું કારણ બની હોવાની શક્યતા છે.

AAIBએ વિમાનના એન્જિનને મળતો ઈંધણનો પુરવઠો બંધ થવા જેવી ઘણી મહત્વપૂર્ણ બાબતો તરફ ધ્યાન દોર્યું છે.જોકેતપાસ બ્યુરોએ કહ્યું છે કે આ રિપોર્ટ પ્રારંભિક છે. હાલમાંઅકસ્માતની વિગતવાર તપાસ ચાલી રહી છે.

AAIBના રિપોર્ટ મુજબએર ઇન્ડિયાના વિમાને ટેસ્ટિંગ દરમિયાન સવારે લગભગ 8:08 વાગ્યે 180 નોટની મહત્તમ એરસ્પીડ પ્રાપ્ત કરી હતી.ત્યારબાદ અચાનક બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચો જે એન્જિનમાં ઇંધણ મોકલે છે, ‘રન’ થી કટઓફ પોઝિશન પર ગયા હતા. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના ફક્ત 1 સેકન્ડના અંતરે બની હતી. આ સમય દરમિયાન એન્જિનમાં ઇંધણ આવવાનું બંધ થઈ ગયું. જો કે અંતિમ નિષ્કર્ષ હજુ આવવાનો બાકી છે.

AAIBના તપાસ રિપોર્ટમાં કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે થયેલી વાતચીતની માહિતી પણ પ્રકાશમાં આવી છે.કોકપીટ વોઇસ રેકોર્ડરમુજબએક પાઇલટે બીજા પાઇલટને પૂછ્યું કે તમે એન્જિન કેમ બંધ કર્યુંઆ પ્રશ્નના જવાબમાંબીજા પાઇલટે કહ્યું કે મેં કંઈ કર્યું નથી. બંને પાઇલટ્સ વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થયું છે કે એન્જિનમાં ઇંધણઆવતું બંધ થયું હતું.

Latest Stories