/connect-gujarat/media/post_banners/e508cd00aa0f7fbcde17ed3d0a3abc03ade6a9006c55d8c6bf651531c4d4a1f2.webp)
કેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયા છે. કેન્દ્રીય નેતાઓ દર અઠવાડિયે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવશે. 25 મી સપ્ટેમ્બરે રવિવારે એક દિવસ બંને મુખ્યમંત્રી અમદાવાદ આવશે. સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે સંવાદ કરશે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે.
આમ આદમી પાર્ટીના નેતા દર અઠવાડિયે ગુજરાતમાં કોઈપણ કાર્યક્રમ કરી રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી હાલ ઉત્તર ગુજરાતમાં બસ હવે પરિવર્તન થીમ પર યાત્રા કરી રહ્યા છે. ત્યારે રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એક દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવશે. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ બંને મુખ્યમંત્રીઓ અમદાવાદમાં સફાઈ કર્મીઓ, આશાવર્કર અને યુવાઓ સાથે સંવાદ કરવાના છે.બંને મુખ્યમંત્રીઓ આજે મોડી સાંજે અથવા તો આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે.આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ચૂંટણીને લઇ અને લોકો સુધી પહોંચવા માટે ટાઉનહોલ કાર્યક્રમો અને યાત્રા કરવામાં આવી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા બે દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં બસ હવે પરિવર્તન જોઈએ યાત્રા શરૂ કરવામાં આવી છે